T20 World Cup 2024 IND vs ENG Semi Final 2: ટી-20 વર્લ્ડકપમાં બીજી સેમિફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર આજે રાત્રે 8 વાગ્યે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ મેચ જીતીને બંને ટીમો ફાઈનલમાં પહોંચવા ઈચ્છશે. પરંતુ આ મેચ પર ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો ઈંગ્લેન્ડની મુશ્કેલી વધી જશે. આનો ફાયદો ટીમ ઈન્ડિયાને મળશે. ગયાનામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે મેદાન ભીનું થઈ ગયું છે. હવે ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ કેપ્ટને આ અંગે ગ્રાઉન્ડ પર સવાલો ઉભા કર્યા છે.
ADVERTISEMENT
આઉટફિલ્ડ માટે આટલા ઓછા કવર શા માટે છે?
ગયાનામાં વરસાદ વચ્ચે એક યુઝરે સોશિયલ મીડિયા પર મેદાનનો ફોટો શેર કર્યો અને લખ્યું કે ગયાનામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જો સેમિ-ફાઇનલ 2 રદ થાય છે, તો ભારત સેમિફાઇનલ જીત્યા વિના વર્લ્ડ કપ ફાઇનલ રમનારી બીજી ટીમ બની જશે. 1999 માં, ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે ડ્રો રમી, પરંતુ તેમ છતાં તે ફાઈનલ માટે ક્વોલિફાય થયું.
આ પોસ્ટ પર ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર માઈકલ વોને લખ્યું કે, આ ચોમાસાની સીઝન છે. ભારે વરસાદનું પણ સંકટ છે હું સમજી શકું છું પરંતુ આખા આઉટફિલ્ડ માટે આટલું ઓછું કવર શા માટે? તમને મોટા પ્રમાણમાં મેદાન ઢાંકવા માટે કવર મળે છે.
જો મેચ રદ થશે તો ઈંગ્લેન્ડ બહાર થઈ જશે
હાલમાં ગયાનાનું હવામાન જોઈને ઈંગ્લેન્ડની ટીમ અને પ્રશંસકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. જો વરસાદના કારણે સેમીફાઈનલ મેચ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં રમ્યા વગર પહોંચી જશે અને ઈંગ્લેન્ડ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. કારણ કે ટીમ ઈન્ડિયા ગ્રુપ-1માં ટોપ પર છે અને ઈંગ્લેન્ડ તેના ગ્રુપમાં બીજા નંબર પર છે. તેના કારણે જ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી શકે છે.
ADVERTISEMENT
![follow whatsapp](/assets/icons/followWhatsApp.png)