Team India: ટ્રોફી સાથે બાર્બાડોસમાં ફસાઈ ટીમ ઈન્ડિયા, WC જીત્યાના 72 કલાક બાદ પણ ભારત આવવું મુશ્કેલ

Gujarat Tak

01 Jul 2024 (अपडेटेड: Jul 1 2024 11:30 AM)

Team India in Barbados: ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન બની ગઈ છે પરંતુ બાર્બાડોસથી ટીમ માટે ખૂબ જ ખરાબ સમાચાર આવી રહ્યા છે. ટ્રોફી કબજે કર્યા પછી, ટીમ ઈન્ડિયા હજી પણ હોટલમાં છે અને એવી અપેક્ષા છે કે ટીમ આગામી 24 કલાક સુધી હોટલમાં રહેશે.

ભારતીય ટીમની તસવીર

Team India Barbados

follow google news

Team India in Barbados: ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન બની ગઈ છે પરંતુ બાર્બાડોસથી ટીમ માટે ખૂબ જ ખરાબ સમાચાર આવી રહ્યા છે. ટ્રોફી કબજે કર્યા પછી, ટીમ ઈન્ડિયા હજી પણ હોટલમાં છે અને એવી અપેક્ષા છે કે ટીમ આગામી 24 કલાક સુધી હોટલમાં રહેશે. બાર્બાડોસમાં ભયંકર વાવાઝોડું આવવાનું છે. આવી સ્થિતિમાં એરપોર્ટ સહિત તમામ વસ્તુઓ બંધ કરી દેવામાં આવી છે. ખેલાડીઓને માત્ર હોટલમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે અને આ સમયગાળા દરમિયાન કોઈને પણ બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો

બાર્બાડોસમાં ભયંકર તોફાન આવી રહ્યું છે

હાલમાં ટીમ ઈન્ડિયા હોટલમાં છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટ તમામ ખેલાડીઓ માટે વધુ વ્યવસ્થા કરી શકે છે. આજ તકના સ્પોર્ટ્સ એડિટર વિક્રાંત ગુપ્તા બાર્બાડોસમાં છે. આવી સ્થિતિમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે અને એરપોર્ટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. આગામી થોડા કલાકોમાં વાવાઝોડું આવી શકે છે.

ક્યારે ભારત આવશે ટીમ ઈન્ડિયા?

તેથી, હવે હવામાનમાં સુધારો થયા બાદ અને બાર્બાડોસ એરપોર્ટ પર કામગીરી શરૂ થયા બાદ ભારતીય ટીમ સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં સીધી દિલ્હી જશે. બાર્બાડોસમાંથી બહાર નીકળવા માટે ટીમ ઈન્ડિયાને સોમવારે મોડી સાંજ અથવા મંગળવારે સવાર સુધી રાહ જોવી પડી શકે છે. ટીમ અને સ્ટાફ બાર્બાડોસથી સીધો દિલ્હી જશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ 3 જુલાઇ સુધીમાં દેશમાં પહોંચી શકે છે.

વાવાઝોડું કેટેગરી 4માં બદલાયું

ઇન્ડિયા ટુડેના વિક્રાંત ગુપ્તાએ, જે હાલમાં બાર્બાડોસમાં છે, X પર એક પોસ્ટમાં લખ્યું, 'બાર્બાડોસ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. હવે અહીં કર્ફ્યુ જેવી સ્થિતિ છે અને કોઈને પણ ઘરની બહાર નીકળવાની છૂટ નથી. બેરેલ તોફાન આગામી 6 કલાકમાં લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. ઝરમર વરસાદ શરૂ થયો છે. બેરેલને કેટેગરી 4 (બીજા સૌથી ગંભીર વાવાઝોડા)માં અપગ્રેડ કરવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા હોટલની અંદર જ રોકાશે. આગામી 24 કલાકમાં શું થવાનું છે તેની કોઈને ખબર નથી. પ્રવાસ યોજનાઓ અંગે હજુ પણ અનિશ્ચિતતા છે.

ભારત આવીને ટીમ ઈન્ડિયા PM મોદીને મળશે?

કેટલાક અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ભારતીય ટીમ પરત ફરશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને મળી શકે છે. આ સિવાય BCCI સેક્રેટરી જય શાહે પણ મોટી જાહેરાત કરી છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ આખી ટીમને બોર્ડ દ્વારા 125 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવી રહ્યું છે. જો કે સમગ્ર ટીમે ભારતની જીતમાં ભૂમિકા ભજવી હતી, પરંતુ કેટલાક ખેલાડીઓ એવા હતા જેમના પ્રદર્શનના કારણે ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ આમાં સૌથી આગળ છે. જ્યાં બુમરાહને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે ફાઇનલમાં 59 બોલમાં 76 રનની ઇનિંગ રમનાર વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

    follow whatsapp