ભાજપે જીતેલી બે બેઠકો પર EVM થશે ચેક, જાણો ચૂંટણી પંચે શા માટે લીધો નિર્ણય?

ADVERTISEMENT

EVM Checked
EVM ચેક કરવાનો ECનો નિર્ણય
social share
google news

EVM Controversy : લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે હરિયાણાની બે લોકસભા સીટોના ​​ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ચેકિંગને લઈને મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે કરનાલ અને ફરીદાબાદ લોકસભા સીટના EVM ચેક કરવાની મંજૂરી આપી છે.

આ બંને બેઠકો ભાજપે જીતી હતી. આ લોકસભા બેઠકો પરથી કોંગ્રેસના બંને ઉમેદવારો ચૂંટણી હારી ગયા હતા. ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પંચને પત્ર લખીને EVMમાં ​​ખરાબીની ચિંતા વ્યક્ત કરી હતી. જે બાદ પંચે આ બે લોકસભા મતવિસ્તારોના EVM ચેક કરવાની મંજૂરી આપી દીધી છે.

EVM સાથે છેડછાડનો આરોપ

તમને જણાવી દઈએ કે, કરનાલથી કોંગ્રેસના ઉમેદવાર દિવ્યાંશુ બુધિરાજા અને ફરીદાબાદથી મહેન્દ્ર પ્રતાપ સિંહ ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસના બંને ઉમેદવારોએ ચૂંટણી પંચને પત્ર લખીને EVMમાં ​​ખરાબીનો ભય વ્યક્ત કર્યો હતો. ચૂંટણી પંચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, હરિયાણાની કરનાલ અને ફરીદાબાદ લોકસભા સીટોના ​​EVMની તપાસ માટે વિનંતી કરાઈ છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ બૂથના EVMનું ચેકિંગ

કરનાલમાં મતદાન મથકોની સંખ્યા બે છે. પાણીપતમાં મતદાન મથકોની સંખ્યા બે છે, જ્યારે બડકલમાં બે મતદાન મથકો છે. કુલ 6 મતદાન મથકોના EVMની ચકાસણી કરાશે. ભાજપના ઉમેદવાર મનોહર લાલ કરનાલથી ચૂંટણી જીત્યા છે. જ્યારે ફરીદાબાદથી બીજેપી ઉમેદવાર કૃષ્ણપાલ જીત્યા છે.

સુપ્રીમ કોર્ટે EVM મામલે આ વાત કહી હતી

EVM કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ઉમેદવારોની વિનંતી પર પરિણામ જાહેર થયા બાદ માઇક્રોકન્ટ્રોલર EVMમાં બર્ન મેમરીની તપાસ એન્જિનિયરોની ટીમ દ્વારા કરવામાં આવશે. આવી વિનંતી પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર કરવાની રહેશે. ચકાસણીનો ખર્ચ વિનંતી કરનાર ઉમેદવારો દ્વારા ઉઠાવવામાં આવશે. જો EVM સાથે છેડછાડ કરવામાં આવી હોય તો ખર્ચ પરત કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT