ખેડૂતોને ફટાફટ મળી જશે લોન, કેન્દ્ર સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

ADVERTISEMENT

Farmers News
એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ
social share
google news

Farmers News : ખેડૂતો સરળતાથી લોન મેળવી શકશે. સાથે જ એફપીઓ (ખેડૂત ઉત્પાદક સંગઠન), કૃષિ સાહસિકો પણ આ યોજનાનો લાભ લઈ શકશે. વધુમાં વધુ ખેડૂતોને ફાયદો થાય તે માટે સરકારે એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF)ની રકમ ગયા વર્ષની સરખામણીએ બમણી કરી છે. આ યોજનાનો લાભ શક્ય તેટલા ખેડૂતો સુધી પહોંચાડવા માટે એક અભિયાન ચલાવવામાં આવશે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વર્ષે AIF યોજના હેઠળ લોનનો લક્ષ્યાંક 25000 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે. ગયા વર્ષે તે માત્ર રૂ. 17000 કરોડની આસપાસ હતું. વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સ્કીમ દ્વારા ખેડૂતો, એફપીઓ અને કૃષિ સાહસિકો 2 કરોડ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. મંત્રાલય યોજના હેઠળ લોન લેવા પર ત્રણ ટકા વ્યાજ સબસિડી (રિબેટ) આપી રહ્યું છે. આ રીતે 2 કરોડ રૂપિયાની લોન પર વાર્ષિક 6,00,000 રૂપિયા સુધીની બચત કરી શકાય છે. આ સિવાય માર્કેટમાંથી લોન લેતી વખતે બેંકે સિક્યોરિટી આપવી પડે છે, પરંતુ આમાં સિક્યુરિટી સરકાર દ્વારા જ આપવામાં આવે છે. મંત્રાલયે યોજના હેઠળ લોન આપવા માટે સમય મર્યાદા નક્કી કરી છે. બેંકે વધુમાં વધુ 60 દિવસની અંદર લોનની ફાઇલનું સમાધાન કરવું જરૂરી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પોતે લોન મેળવવામાં મદદ કરે છે. જેના કારણે ખેડૂતો બેંકની મુલાકાત લેતા બચી ગયા છે. જે ખેડૂત ભાઈઓએ હજુ સુધી આ યોજનાનો લાભ લીધો નથી તેઓ સમાચારમાં આપેલી https://agriinfra.dac.gov.in/Home લિંક પર ક્લિક કરીને અરજી કરી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT