Vadodara Awas Yojana: વડોદરામાં સસ્તા ઘર માટે ફોર્મ ભરતા પહેલા સેમ્પલ અરજી ફોર્મ જોઈલો, આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો

ADVERTISEMENT

પ્રતિકાત્મક તસવીર
Vadodara Awas Yojana
social share
google news

Vadodara PM Awas Yojana: વડોદરામાં મહાનગરપાલિકાના સહયોગથી તૈયાર કરાયેલા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના ખાલી પડેલા મકાનોનો ડ્રો કરવા અરજીઓ શરૂ થઈ ગઈ છે. વડોદરા શહેરમાં સસ્તામાં ઘર મેળવવા ઈચ્છતા લોકોએ આ માટે 27મી જુલાઈ 2024 સાંજે 6 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરવાની છે. જોકે ઘણા લોકોને ઘર માટે ફોર્મ ભરવામાં કયા-કયા દસ્તાવેજોની જરૂર પડશે તેને લઈને મુંઝવણ છે. તો જો તમે પણ આવાસ યોજનામાં સસ્તું ઘર ખરીદવા ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો જાણી લો આ માટે તમારે કયા-કયા દસ્તાવેજો આપવાના રહેશે.

ફોર્મ ભરવા માટે કયા દસ્તાવેજ જોઈશે?

અરજદારનો ફોટો
અરજદારની સહી
બેંક દ્વારા ફોર્મ ફી તથા ડિપોઝિટ રકમ ભર્યાનો બેંક અધિકૃત સિક્કાવાળા ચલણની કોપી
અરજદાર-સહ અરજદારના આધારકાર્ડ
રેશન કાર્ડ
અનામત કેટેગરીના અરજદારનો જાતિનો દાખલો
દિવ્યાંગજનો માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર
રહેઠાણનો પુરાવો
આવકનો પુરાવો
બાંહેધરી પત્રક
બેંક પાસબુકની નકલ (પહેલા પેજ)

સેમ્પલ ફોર્મ જુઓ

કયા વિસ્તારમાં કેટલા મકાન ખાલી છે?

વડોદરા શહેરમાં જુદી જુદી સ્કીમમાં કુલ 220 જેટલા મકાનોનો ડ્રો કરવામાં આવશે. જેમાં સયાજીપુરામાં EWS કેટેગરીના 22 મકાન, તાંદલજામાં 21 મકાનો ખાલી છે. LIG-1 કેટેગરીના 39 મકાન સયાજીપુરામાં, LIG-2 કેટેગરીના 102 મકાન ગોત્રીમાં, 13 મકાન વાસણા વિસ્તારમાં, MIG કેટેગરીના 36 મકાન ખાલી છે જેનો ડ્રો કરવામાં આવશે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

અરજી કરવા માટે ક્યાંથી ફોર્મ ભરવાનું?

વડોદરા શહેરમાં આવાસ યોજનાના મકાનના ડ્રો માટે અરજી કરવા VMC - Pradhan Mantri Awas Yojana પર જવાનું રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 27મી જુલાઈ 2024 સાંજે 6 વાગ્યા સુધીની છે. અરજકર્તાએ 1 મહિનામાં ઓનલાઈન ફોર્મ ભરીને પોતાની તમામ વિગતો અપલોડ કરવાની રહેશે. આ અંગે કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન માટે રાવપુરા ઓફિસ ખાતે અફોર્ડેબલ હાઉસિંગ વિભાગનો સંપર્ક કરી શકાય છે. 

    follow whatsapp

    ADVERTISEMENT