CM Arvind Kejriwal Bail : દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે (20 જૂન) રાઉઝ એવન્યુ કોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી થઈ હતી.
ADVERTISEMENT
કેજરીવાલ આવતીકાલે જેલ બહાર આવી શકે છે : કોર્ટ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ગુરુવારે મોટી રાહત મળી છે. તેને એક લાખ રૂપિયાની જામીન રકમ પર આ રાહત મળી છે. EDએ જામીનનો વિરોધ કરવા માટે 48 કલાકનો સમય માંગ્યો છે. કોર્ટે કહ્યું કે, 'આવતીકાલે ડ્યુટી જજ સમક્ષ આ દલીલો થઈ શકે છે. કેજરીવાલ આવતીકાલે શુક્રવારે 1 લાખ રૂપિયાના બોન્ડ પર તિહાર જેલમાંથી બહાર આવી શકે છે.'
તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. ED દ્વારા તેને આરોપી બનાવવામાં આવ્યા હતા અને દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાઈ હતી. આ અગાઉ દિલ્હીના મુખ્યમંત્રીને મે મહિનામાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે જેલમાંથી બહાર આવવાની પરવાનગી આપવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટણી પૂરી થતા જ તેમને તિહાર જેલમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જો કે હવે તેમને નિયમિત જામીન મળી ગયા છે. આ નિર્ણયને લઈને આમ આદમી પાર્ટીમાં પણ ખુશીનો માહોલ છે.
ADVERTISEMENT
![follow whatsapp](/assets/icons/followWhatsApp.png)