EPFO Interest Rate: બજેટ પહેલા સરકારની મોટી જાહેરાત, 7 કરોડ PF ધારકો માટે ખુશ ખબર

Gujarat Tak

ADVERTISEMENT

EPFO Interest Rate
EPFO Interest Rate
social share
google news

EPFO Interest Rate: બજેટ પહેલા લગભગ 7 કરોડ EPFO ​​સભ્યો માટે સારા સમાચાર આવ્યા છે. ગુરુવારે એક મોટી જાહેરાત કરતા, કેન્દ્રીય નાણા મંત્રાલયે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPFO) થાપણો માટે વ્યાજમાં વધારાને મંજૂરી આપી દીધી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ નાણાકીય વર્ષ 2023-24 માટે 8.25 ટકા વ્યાજ દરની જાહેરાત કરી હતી, જેને હવે નાણાં મંત્રાલયે મંજૂરી આપી દીધી છે.

EPFO ના વ્યાજદરોમાં વધારો

EPFOએ ગયા વર્ષના 8.15%ના દરથી 2023-24 માટે વ્યાજ દર વધારીને 8.25% કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા, EPFOએ જણાવ્યું કે EPF સભ્યો માટે નાણાકીય વર્ષ 2023-24 માટે 8.25% વ્યાજ દર મે 2024 માં સરકાર દ્વારા સૂચિત કરવામાં આવ્યો છે. હવે માત્ર કર્મચારીઓ તેમના ખાતામાં PFનું વ્યાજ જમા થવાની રાહ જોઈ રહ્યા છે.

ફેબ્રુઆરીમાં વ્યાજ વધારવાની જાહેરાત 

EPFO ની ટોચની નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)એ ફેબ્રુઆરીમાં નાણાકીય વર્ષ 2023-24 માટે PF પર વ્યાજ વધારવાની જાહેરાત કરી હતી. PF પર વ્યાજ દર 8.15 ટકાથી વધારીને 8.25 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. CBTના નિર્ણય પછી, 2023-24 માટે EPF થાપણો પર વ્યાજ દર મંજૂરી માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો, જેને હવે મંજૂરી મળી ગઈ છે. ગયા વર્ષે 28 માર્ચે, EPFOએ 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતાઓ માટે 8.15 ટકાના વ્યાજ દરની જાહેરાત કરી હતી. જ્યારે EPFOએ FY22 માટે 8.10% વ્યાજ આપ્યું હતું. માર્ચ 2022માં EPFOએ લગભગ 7 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો હતો. કર્મચારીઓ માટે, 2021-22 માટે EPF પર વ્યાજ ઘટાડીને 8.1 ટકાના ચાર દાયકાના નીચા સ્તરે લાવવામાં આવ્યું હતું, જે 2020-21માં 8.5 ટકા હતું. વ્યાજ ઘટાડા પછી, EPFનું વ્યાજ 1977-78 પછી સૌથી ઓછું થઈ ગયું છે. નાણાકીય વર્ષ 1977-78માં, EPF વ્યાજ દર 8 ટકા હતો. CBT દ્વારા 2020-21 માટે EPF થાપણો પર 8.5 ટકા વ્યાજ દર માર્ચ 2021માં નક્કી કરવામાં આવ્યો હતો.
 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT