Exclusive: 'ગેનીબેનની પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સફર', જુઓ ગુજરાત તકના આ વિશેષ અહેવાલમાં

Gujarat Tak

08 Jun 2024 (अपडेटेड: Jun 8 2024 8:43 PM)

Geniben Thakor Exclusive: લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં ભાજપના નેતૃત્વવાળી NDAને 292 સીટો મળી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 234 સીટો મળી છે.

follow google news

Geniben Thakor Exclusive:  લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં ભાજપના નેતૃત્વવાળી NDAને 292 સીટો મળી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 234 સીટો મળી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 26માંથી 25 બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું છે, જ્યારે એક બેઠક પર કોંગ્રેસ બાજી મારી ગયું છે. દબંગ નેતા ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણીમાં ડંકો વગાડ્યો છે અને કોંગ્રેસને બનાસકાંઠામાં જીત અપાવી છે ત્યારે આ રિપોર્ટમાં ગેનીબેન ઠાકોરની દિલધડક કહાની વિશે વાત કરીશું જેનાથી તમે છો અજાણ...

ગેનીબેનની બનાસથી દિલ્હી સુધીની સફર

ત્યારે Gujarat Tak દ્વારા ઠાકોર સમાજના સામાન્ય પરિવારમાંથી આવતા ગેનીબેન ઠાકોરની પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સફર પર એક વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. Gujarat Takની ટીમ દ્વારા ગેનીબેન ઠાકોરના ઘરે જઈને તેમની સાથે અને તેમના પરિવારજનો સાથે ખાસ વાતચીત કરવામાં કરવામાં આવી હતી. જેમાં તેઓએ ઘણી જાણી-અજાણી વાતો જણાવી હતી. 

બનાસકાંઠા બેઠક કેમ હતી ચર્ચામાં?

ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી જો કોઈ બેઠકની સૌથી વધુ ચર્ચા થઈ હોય તો તે છે બનાસકાંઠા લોકસભા બેઠક. આની પાછળનું મુખ્ય કારણએ હતું કે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસે બંનેએ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. બનાસકાંઠામાં આઝાદી બાદ પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં પ્રમુખ પક્ષોના બે મહિલા ઉમેદવારો આમને-સામને હતા. ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન સાંસદ પરબતભાઈ પટેલની ટિકિટ કાપીને બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ ચૌધરીના પૌત્રી ડૉ.રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા, તો કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી હતી. જે બાદ બંને મહિલા નેતાઓએ પ્રચાર માટે બનાસના ખૂણાખૂણાં ખુંદ્યા હતા. 

બનાસકાંઠા લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ

બનાસકાંઠા લોકસભા બેઠકના રાજકીય ઈતિહાસ વિશે વાત કરીએ તો આ બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, પરંતુ વર્ષ 1998થી 2019ની લોકસભા ચૂંટણીનું ગણિત જોઈએ તો 1998માં ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરી જીત્યા હતા. તો 2004માં કોંગ્રેસના હરિસિંહ ચાવડા, 2009માં કોંગ્રેસના મુકેશ ગઢવી જીત્યા હતા, જે બાદ 2012માં મુકેશ ગઢવીનું અવસાન થતાં ફરી પેટા ચૂંટણી યોજાઈ હતી અને તેમાં ભાજપના હરિભાઈ ચૌધરી જીત્યા હતા. વર્ષ 2014માં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરિભાઈ ચૌધરીનો વિજય થયો હતો. 2019માં પરબતભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી લડ્યા હતા અને જીત્યા હતા અને હવે 2024ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે બાજી મારી લીધી છે. 

    follow whatsapp