ગુજરાતમાં 7500 કાયમી શિક્ષકોની ભરતી કરાશે, 3 મહિનામાં પૂર્ણ થશે પ્રક્રિયા

Gujarat Tak

19 Jun 2024 (अपडेटेड: Jun 19 2024 8:51 PM)

TET-TAT requirement: ગુજરાતમાં છેલ્લા કેટલાય લાંબા સમયથી ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અટકેલી છે. જે મામલે નવી ભરતીની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

TET-TAT requirement

TET-TAT requirement

follow google news

TET-TAT requirement: ગુજરાતમાં છેલ્લા કેટલાય લાંબા સમયથી ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અટકેલી છે. જેને લઈ છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં હજારો વિધાર્થીઓ આંદોલન કરી રહ્યા છે અને સરકાર પાસે કાયમી ભરતીની માંગણી કરી રહ્યા છે. એવામાં TET-TAT ના ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો

આંદોલન વચ્ચે કાયમી શિક્ષકો માટે ભરતીની જાહેર

આગામી સમયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 7500 કાયમી શિક્ષકો પર ભરતી થશે. ટાટ 1 અને 2 ક્લિયર કરનાર ઉમેદવારોમાંથી પસંદગી થશે. ત્રણ માસની અંદર ભરતી પ્રક્રિયા શરૂ થશે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષકોની ભરતીના નિયમો બની રહ્યા છે, નિયમો ફાઇનલ થયા બાદ ભરતી જાહેર કરવામાં આવશે.

સરકારી નોકરીને લઈ આટલા-આટલા આંદોલનો થયા, છતાં ઉમેદવારો તો ત્યાંના ત્યાં જ 'રસ્તા' પર!

ઋષિકેશ પટેલે આપી જાણકારી

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી.  જે સંદર્ભે ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે.

કેટલા પદ પર થશે ભરતી

વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે. 

 

    follow whatsapp