ક્યારે આવશે દેશનું પૂર્ણ બજેટ અને આ વખતે મધ્યમ વર્ગને રાહત મળશે કે નહીં? સામે આવી મોટી અપડેટ

Gujarat Tak

• 01:18 PM • 20 Jun 2024

Budget 2024 Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર આવતા મહિને નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહી છે. તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે, બજેટ રજૂ કરવાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણામંત્રી 18 જુલાઈએ બજેટ રજૂ કરી શકે છે.

બજેટ 2024

Budget 2024

follow google news

Budget 2024 Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર આવતા મહિને નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહી છે. તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે, બજેટ રજૂ કરવાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણામંત્રી 18 જુલાઈએ બજેટ રજૂ કરી શકે છે. પહેલેથી જ અપેક્ષા હતી કે મોદી 3.0નું સંપૂર્ણ બજેટ જુલાઈના મધ્યમાં આવી શકે છે.

આ પણ વાંચો

18 જુલાઈના રોજ પૂર્ણ બજેટ રજૂ થઈ શકે છે

બિઝનેસ ટુડે પર પ્રકાશિત થયેલા અહેવાલમાં સરકારી સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2024 જુલાઈ મહિનાની 18મી તારીખે રજૂ કરશે. સંસદીય બાબતોના મંત્રાલયે જાહેરાત કરી છે કે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈ સુધી ચાલશે. સંસદનું ચોમાસુ સત્ર જુલાઈના ત્રીજા સપ્તાહમાં શરૂ થવા જઈ રહ્યું છે અને તે 9 ઓગસ્ટ સુધી ચાલવાની શક્યતા છે.

20 જૂને પ્રી-બજેટ મીટિંગ

નોંધનીય છે કે નિર્મલા સીતારમણે 12 જૂને તાજેતરમાં સ્થાપિત એનડીએ સરકારના નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. હવે તેમણે સંપૂર્ણ બજેટ રજૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અગાઉ, મહેસૂલ સચિવ સાથે સત્તાવાર બેઠક કર્યા પછી, નાણા પ્રધાન આજે ઉદ્યોગના હિતધારકો સાથે પ્રી-બજેટ બેઠક યોજવા જઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું.

આ બજેટમાં શું ખાસ હોઈ શકે?

આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી ન હતી અને એનડીએ ગઠબંધનની સરકાર બની હતી. આવી સ્થિતિમાં, સરકાર સામાન્ય જનતા, કરદાતાઓ અને નોકરીયાત લોકો માટે સંપૂર્ણ બજેટમાં મોટી જાહેરાત કરે તેવી અપેક્ષા છે. આ વખતે સરકારનું ખાસ ધ્યાન મધ્યમ વર્ગ પર હોઈ શકે છે. આ માટે આવકવેરામાં રાહતની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો નાણામંત્રી નિર્મલા સીતારમણ જુલાઈમાં આવનારા બજેટમાં ટેક્સ નિયમોમાં ફેરફાર કરી શકે છે. અત્યાર સુધી, 3 લાખ રૂપિયાની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી અને આ મુક્તિ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી શકાય છે.

સીતારમણ બજેટ રજૂ કરીને ઈતિહાસ રચશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી 3.0નું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા માટે તૈયાર છે. વાસ્તવમાં, નાણામંત્રી તરીકે સીતારમણનું આ સતત સાતમું બજેટ હશે અને તેમાં છ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ સામેલ છે. તે મુજબ તે નાણામંત્રી મોરારજી દેસાઈના રેકોર્ડને પાછળ છોડી દેશે. તેમણે 1959-1964 વચ્ચે 5 વાર્ષિક બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું.
 

    follow whatsapp