નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ

અનંત-રાધિકાના લગ્નમાં અંબાણી પરિવાર ખૂબ જ સરસ આઉટફિટમાં જોવા મળ્યો હતો. અંબાણી પરિવાર દરેક આઉટફિટ્સમાં ખૂબ જ રૉયલ દેખાઈ રહ્યો હતો. 

જો અંબાણી પરિવારની મહિલાઓની વાત કરીએ તો તેઓએ કસ્ટમાઈઝ્ડ આઉટફિટ્સ પહેર્યા હતા અને સાથે હીરાથી જડિત ઘરેણાં પણ પહેર્યા હતા. 

હવે લગ્નની જે તસવીરો સામે આવી છે, તેમાં નીતા અંબાણી અને રાધિકાના ફોટામાં એક કોમન વસ્તુ જોવા મળી છે. 

લગ્ન દરમિયાન નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણીના હાથમાં કાળા કલરનો દોરો જોવા મળ્યો હતો.

માન્યતાઓ અનુસાર, કાળા રંગના દોરાનો ઉપયોગ ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાથી બચવા માટે ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહ્યો છે. 

જ્યારે અમે જ્યોતિષ સાથે વાત કરી, તેમણે  અમને કહ્યું, 'સામાન્ય રીતે કાળો દોરો ખરાબ નજરથી બચાવવા માટે બાંધવામાં આવે છે.'

'એવું માનવામાં આવે છે કે શનિની જે દ્રષ્ટિ હોય છે તે ખૂબ જ તીક્ષ્ણ હોય છે અને તેનો પ્રભાવ ખૂબ જ નેગેટિવ હોય છે.'

'એટલે જ લોકોની તે નજરથી બચવા માટે કાળો દોરો પહેરવામાં આવે છે.'

'નાના બાળકોની કમરમાં કાળો દોરો બાંધવામાં આવે છે, જ્યારે પુરુષો-મહિલાઓ તેમના હાથમાં કાળો દોરો બાંધે છે.'