WhatsApp Image 2024 08 28 at 43332 PM

સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત

image
CHANAKYA NITI

આચાર્ય ચાણક્યએ જીવન સાથે જોડાયેલી એવી ત્રણ વાતોનું વર્ણન નીતિ શાસ્ત્રમાં કર્યું છે, જે ક્યારેય કોઈને ન કહેવી જોઈએ.

Chanakya Neeti and good governance

ખાસ વાત છે કે સામેની વ્યક્તિ તમારી કેટલી પણ નજીક કેમ ન હોય, તેમનાથી હંમેશા કેટલીક વાત છુપાવીને રાખવી જોઈએ.

guru chanakya 3 by zenart07 dg5jji4

જો કોઈ વ્યક્તિ આ પ્રકારની વાતો કોઈ બીજાને કહે છે તો તેઓ હંમેશા પરેશાન જ રહેવા લાગે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈને પૈસા સાથે સંબધિત કોઈ નુકસાન થયુ છે, તો તેમણે આ વાત કોઈને ન કહેવી જોઈએ.

ધનનું સંકટ એક નબળાઈ જેવું હોય છે. જ્યારે અન્ય લોકોને ખબર પડે છે, ત્યારે તેઓ તમારાથી અંતર જાળવે છે. સાથે જ માન-સન્માન પણ ઘટે છે.  

આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિએ ક્યારેય પોતાનું દુ:ખ કોઈની સાથે શેર ન કરવું જોઈએ.

આચાર્ય ચાણક્ય અનુસાર, તમારા મનનું દુઃખ જાણીને કોઈ તેની મજાક બનાવી શકે છે. અથવા તેના દ્વારા તમને કષ્ટ આપી શકે છે.

આચાર્ય ચાણક્ય અનુસાર, જો વ્યક્તિનું ક્યાંય અપમાન થયું છે તો તેના વિશે તેમણે ક્યારે કોઈની સાથે વાત ન કરવી જોઈએ.

તમારા અપમાન વિશે કોઈને કહેવાથી નકારાત્મક પ્રભાવ પણ પડે છે. તેનાથી માણસની પ્રતિષ્ઠાને અસર પડી શકે છે.