શ્રાવણ મહિનામાં આ ભૂલો ના કરતાં, નહિતર ભગવાન શિવ થશે ક્રોધિત

21 july 2024

પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, આ વખતે 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનાની શરૂ થશે

તેમજ શ્રાવણ મહિનામાં શિવલિંગ પર ગંગા જળ ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, હિંદુ ધર્મમાં ગંગા જળને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે.

શ્રાવણ મહિનામાં ગંગા જળનું મહત્વ ઘણું વધી જાય છે કારણ કે ભગવાન શિવના ભક્તો તેમના મહાદેવને અર્પણ કરવા માટે લાંબા અંતરની કાવડ યાત્રા કાઢે છે.

આવો જાણીએ ગંગા જળ સાથે જોડાયેલી કઈ ભૂલો શ્રાવણ માસમાં ન કરવી જોઈએ.

શિવલિંગને હંમેશા તાંબાના વાસણમાંથી ગંગા જળ ચઢાવવું જોઈએ, કોઈપણ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ન કરવો જોઈએ.

ગંગા જળને હંમેશા ઘરમાં શુદ્ધ સ્થાન પર રાખવું જોઈએ. ઉપરાંત આ સ્થળે સ્વચ્છતા પણ જાળવવી જોઈએ.

ગંગા જળને કોઈપણ અંધારા રૂમ કે ખૂણામાં ન રાખવું જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.