Screenshot 2024 04 17 130427

શું તમે પણ લગાવો છો મુલતાની માટી? તો પહેલા આ જાણી લેજો

image
fullers earth1jpg13

દરેક વ્યક્તિ પોતાના ચહેરા પર ચમક લાવવા માટે અવનવા અખતરા કરતા હોય છે. જેમાં ઘણા લોકો ખીલ દૂર કરવા અને ચહેરા પર ચમક લાવવા માટે મુલતાની માટીની પેસ્ટ લગાવતી હોય છે.

multani mitti 1

જોકે, કેટલાક લોકો માટે મુલતાની માટીનો ઉપયોગ કરવો હાનિકારક પણ હોઈ શકે છે.

Screenshot 2024 04 17 130347

આજે અમે તમને જણાવીશું કે કયા લોકોએ મુલતાની માટીનો ઉપયોગ ન કરવો જોઇએ.

જો તમારી ત્વચા ખૂબ સેન્સિવ છે તો તમારે ક્યારેક જ મુલતાની માટીનો ઉપયોગ કરવો જોઈએ. તેનો વધારે ઉપયોગ કરવાથી તમારા ચહેરા પર ફોલ્લીઓ થઈ શકે છે.

જેમની ત્વચા શુષ્ક હોય છે, તેઓએ મુલતાની માટીનો ઉપયોગ ન કરવો જોઇએ. મુલતાની માટી ત્વચાને ખૂબ કડક બનાવે છે. જેના કારણે ત્વચા નિર્જીવ દેખાવા લાગે છે.

જે લોકોને શરદી અથવા ઉધરસ જલ્દી થઈ જાય છે, તેઓએ પણ મુલતાની માટીથી દૂર રહેવું જોઈએ. મુલતાની માટીની માટી ઠંડી હોય છે, જે શરદી અને ઉધરસની સમસ્યામાં વધારો કરે છે.

અહીં જણાવેલી સમસ્યા ધરાવતા લોકોએ મુલતાની માટીનો ઉપયોગ ના કરવો જોઈએ. જો તમને આમાંથી કોઈ સમસ્યા ન હોય તો તમે મુલતાની માટીનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરી શકો છો.

નોંધ- અહીં અપાયેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે, કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા એક્સપર્ટ્સની સલાહ લો.