નીતા અંબાણીની આ ખાસ ટિપ્સથી બાળકો બનશે સફળ અને સંસ્કારી
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી હંમેશા ચર્ચામાં રહેશે છે. તેઓ તેમની નેટવર્થના કારણે ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીની સાદગીના દરેક લોકો ખૂબ જ વખાણ કરે છે.
એટલું જ નહીં તેમના બાળકો ઈશા, આકાશ અને અનંત અબાણીના સંસ્કાર અને સ્વભાવના પણ લોકો ખૂબ જ વખાણ કરે છે.
નીતા અંબાણીના સંસ્કારના કારણે જ ઈશા, અનંત અને આકાશ અંબાણી સરળ સ્વભાવના અને સફળ થયા છે.
આજે અમે તમને નીતા અંબાણીની આ 5 પેરેટિંગ ટીપ્સ જણાવીશું, જેને તમે પણ અપનાવી શકો છો.
નીતા અંબાણીએ ત્રણેય બાળકોને શીખવાડ્યું છે કે સમય કિંમતી હોય છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. તેથી ભણવાથી લઈને ભોજન સુધીની બાબતો માટે ટાઈમ ટેબલ ફિક્સ કરવું જોઈએ.
નીતા અંબાણી હંમેશા તેમના બાળકોને ખૂબ જ સપોર્ટ કરે છે. સાથે જ તેઓ શીખવાડે છે કે લાઈફને બેલેન્સ કેવી રીતે કરવી.
નીતા અંબાણીએ બાળકોને પૈસાની વેલ્યૂ કરતા શીખવ્યું છે. જ્યારે બાળકો નાના હતા ત્યારે તેઓ બાળકોને એક નક્કી કરેલી રકમ જ ખર્ચ કરવા માટે આપતા હતા. જેથી બાળકો પૈસાની કદર કરતા શીખે.
નીતા અંબાણી પોતાના બાળકોને પોતાની સંસ્કૃતી સાથે કેવી રીતે જોડાઈને રહેવું તે સમજાવ્યું છે. તેમના ઘરના દરેક પૂજા-પાઠમાં તેમના બાળકો ખુશીથી જોડાય છે.
નીતા અંબાણીએ હંમેશા તેમના બાળકોની ભૂલ થાય તો ઠપકો આપવાના બદલે શીખ આપે છે.