બિઝનેસ માટે સરકાર આપી રહી છે 3 લાખ સુધીની લોન, આ રીતે કરો અરજી

PM મોદીએ 17 સપ્ટેમ્બર 2023માં પોતાના જન્મદિવસના અવસરે પીએમ વિશ્વકર્મા યોજના લોન્ચ કરી હતી.

યોજના દ્વારા સુથાર, લુહાર, નાઈ, દરજી અને મોચી સહિત 18 પારંપરિક કૌશલ્ય ધરાવતા લોકોને તેનો લાભ મળશે.

આ સ્કીમ દ્વારા સ્કિલ ટ્રેનિંગ સાથે સાથે લાભાર્થીઓને બે ચરણોમાં 3 લાખ રૂપિયા આપવાનું પ્રાવિધાન છે.

પહેલા ચરણમાં બિઝનેસ માટે 1 લાખ રૂપિયાની લોન અને બીજા ચરણમાં બે લાખની લોન મળે છે. જેનો વ્યાજદર માત્ર રૂ.500 છે.

યોજનાનો લાભ માત્ર 18થી 50 ઉંમરના નાગરિકોને મળશે. આ માટે 140 જાતિઓમાંથી એક અને માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સંબંધિત પ્રમાણપત્ર હોવું જોઈએ.

આધાર કાર્ડ, પાન કાર્ડ, આવકનું પ્રમાણ પત્ર, ઓળખ પત્ર, એડ્રેસ પ્રૂફ, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઈઝનો ફોટો હોવો જોઈએ.

અરજી કરવા માટે pmvishwakarma.gov.in પર જવાનું રહેશે. અહીં તમને pmvishwakarma kaushal yojana દેખાશે.

અહીં Apply Online પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો. બાદમાં માંગેલી વિગતો ભરીને એપ્લિકેશન સબમિટ કરો.