BCCIએ જાહેર કરેલા 125 કરોડમાંથી કોને કેટલા રૂપિયા મળશે ઈનામ? સામે આવ્યા આંકડા, જાણો

Gujarat Tak

ADVERTISEMENT

125 Crores for Team India
ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાનું ઈનામ
social share
google news

Prize Money of 125 Crores for Team India : T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે અને બીજી વખત ટાઈટલ જીત્યું છે. ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકા સામે 7 રને જીત મેળવી હતી. આ જીત બાદ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય ટીમને લઈને મોટી જાહેરાત કરી છે. BCCIએ 125 કરોડ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી હતી. 

BCCIએ તે વખતે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રાઈઝ મની ખેલાડીઓની સાથે સાથે સપોર્ટ સ્ટાફ અને પસંદગીકારો વચ્ચે પણ વહેંચવામાં આવશે. જોકે ફેન્સ એવો અંદાજો લગાવી શકતા નહતા કે આખરે આ પ્રાઈઝ મનીની વહેંચણી કેવી રીતે કરાશે? તો હવે તેના વિશે કેટલીક જાણકારી સામે આવી રહી છે. જોકે, આ માહિતી હજુ સુધી સત્તાવાર રીતે જાહેર નથી કરાઈ.

15 ખેલાડીઓ-કોચને 5-5 કરોડ રૂપિયા

ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, T20 વર્લ્ડ કપ સ્ક્વોડમાં સામેલ 15 ખેલાડીઓ સહિત રાહુલ દ્રવિડને સૌથી વધુ 5-5 કરોડ રૂપિયા મળશે.

ADVERTISEMENT

મેચમાં ન રમેલા અને રિઝર્વ ખેલાડીઓને 1-1 કરોડ રૂપિયા

મેઈન સ્ક્વોડમાં સામેલ પરંતુ સિંગલ મેચ ન રમેલામાં યુજવેન્દ્ર ચહલ, સંજૂ સેમસન અને યશસ્વી જયસ્વાલ સામેલ છે. જ્યારે રિઝર્વ ખેલાડીઓમાં સામેલ રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાન, અને શુભમન ગિલ ઉપર  પણ  પૈસાનો વરસાદ થશે. તેમને 1-1 કરોડ રૂપિયા મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

કોર કોચિંગ સ્ટાફને મળશે અઢી - અઢી કરોડ રૂપિયા

રિપોર્ટમાં જણાવ્યાં અનુસાર, ખેલાડીઓ ઉપરાંત 2.5 - 2.5 કરોડ ટીમના કોર કોચિંગ સ્ટાફને પણ આપવામાં આવશે. જેમાં બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને બોલિંગ કોચ પારસ મહામ્બ્રે પણ સામેલ છે.

ADVERTISEMENT

સિલેક્શન કમિટીને મળશે 1-1 કરોડ રૂપિયા

આ સાથે 1-1 કરોડ રૂપિયાનું ઈનામ અજીત આગરકરના નેતૃત્વવાળી સિલેક્શન કમિટીમાં સામેલ 5 પસંદગીકારોને મળશે જેમણે આ સ્ક્વોડની પસંદગી કરી હતી. 

ADVERTISEMENT

બેક રૂમ સ્ટાફને મળશે 2-2 કરોડ રૂપિયા

બાકી બેકરૂમ સ્ટાફને પણ આ પ્રાઈઝ મનીમાં સામેલ કરાયો છે. ત્રણ ફિઝિયોથેરાપિસ્ટ (કમલેશ જૈન, યોગેશ પરેમાર અને તુલસી રામ યુવરાજ), ત્રણ થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ (રાઘવેન્દ્ર દવગી, નુવાન ઉદેનેકે અને દાયનંદ ગરાની), બે માલિશ કરનારા (રાજીવકુમાર અને અરુણ કનાડે) અને સ્ટ્રેન્થ તથા કન્ડિશનિંગ કોચ સોહમ દેસાઈને 2-2 કરોડ રૂપિયા મળશે. 

42 લોકો ટીમમાં સામેલ હતા

અત્રે જણાવવાનું કે, T20 વર્લ્ડ કપ રમવા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સહિત કુલ 42 લોકો સાથે ગયા હતા. જેમાં ટીમના વીડિયો વિશ્લેષક, ટીમ સાથે મુસાફરી કરનારા BCCI સ્ટાફ સભ્ય અને મીડિયા અધિકારી પણ સામેલ હતા. તેમની સાથે ટીમના લોજિસ્ટિક્સ મેનેજરને પણ આ ઈનામ અપાશે. 

BCCIના સૂત્રના જણાવ્યા અનુસાર, ખેલાડીઓને અને સહયોગી સ્ટાફને BCCI તરફથી મળનારી ઈનામી રકમ વિશે જણાવી દેવાયું છે અને બધાને બિલ જમા કરવાનું કહેવાયું છે.

T20 વર્લ્ડ કપ 2024માં 15 ખેલાડીઓની ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કે. યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.

જય શાહે પોતાની પોસ્ટમાં શું લખ્યું હતું?

BCCI સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ભારતીય ટીમને  125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ પ્રતિભા, નિશ્ચય અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું છે. આ શ્રેષ્ઠ સિદ્ધિ માટે તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન.

ભારતીય ટીમે ચોથો ICC વર્લ્ડ કપ જીત્યો

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. આ ટીમે ઇતિહાસમાં ચોથી વખત વર્લ્ડ કપ (ODI, T20)નો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે શનિવારે (29 જૂન) T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે 140 કરોડ ભારતીયોને ઉજવણી કરી હતી. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે બે વખત (1983, 2011) ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. જ્યારે તેણે માત્ર બે વખત (2007, 2024) T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમે છેલ્લે 2011માં વર્લ્ડ કપ (ODIમાં) જીત્યો હતો. 

    follow whatsapp

    ADVERTISEMENT