IND vs ZIM: ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં છેલ્લી ઘડીએ ફેરફાર, આ 3 IPL સ્ટાર્સની ચમકી કિસ્મત

Gujarat Tak

ADVERTISEMENT

ફાઈલ તસવીર
Team India
social share
google news

Indian Squad Update: શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે, પરંતુ આ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમમાં મોટા ફેરફારો કર્યા છે અને ત્રણ ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. આ ત્રણ ખેલાડીઓમાં સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણા હાજર છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 રમાશે. આ ત્રણેય ખેલાડીઓને પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમનો ભાગ બનાવવામાં આવ્યા છે. હર્ષિત રાણાને પહેલીવાર ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો છે.

ત્રણ ખેલાડીઓને ટીમમાંથી બે મેચ માટે બહાર

જ્યારે શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનને પ્રથમ બે મેચ માટે બદલવામાં આવ્યા છે. આ ત્રણેય ખેલાડીઓ ટી20 વર્લ્ડ કપ 2024નો ભાગ હતા. હાલમાં, વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી પરત ફરી શકી નથી, જેના કારણે ત્રણેય ખેલાડીઓ શુભમન ગિલની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયા સાથે ઝિમ્બાબ્વે રવાના થઈ શક્યા નથી. આ ત્રણેય ખેલાડીઓને બદલવામાં આવ્યા હતા.

હર્ષિત રાણાને પહેલીવાર ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું

તમને જણાવી દઈએ કે IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી ચુકેલા હર્ષિત રાણાને પહેલીવાર ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. અગાઉ જ્યારે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યારે ફેન્સે હર્ષિતને લઈને સવાલો ઉઠાવ્યા હતા. હવે હર્ષિતને ટીમમાં જગ્યા મળી છે.

ADVERTISEMENT

6 જુલાઈએ રમાશે પહેલી ટી-20 મેચ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનારી પાંચ મેચની T20 શ્રેણી શનિવાર, 6 જુલાઈથી શરૂ થશે. સીરીઝની છેલ્લી મેચ 14 જુલાઈ, શનિવારે રમાશે. ભારતીય કેપ્ટન તરીકે શુભમન ગિલની આ પ્રથમ શ્રેણી હશે.

ઝિમ્બાબ્વે સામેની પ્રથમ અને બીજી T20 માટે ભારતની નવી ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાઈ સુદર્શન, જીતેશ શર્મા (વિકેટકીપર) , હર્ષિત રાણા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT