પૂજા કરતી વખતે કેમ ઢાંકવામાં આવે છે માથું? જાણો હિન્દુ પરંપરામાં શું છે તેનું મહત્વ

Gujarat Tak

ADVERTISEMENT

Reason of Covering Head
પૂજા વખતે માથું ઢાંકવું કેમ જરુરી?
social share
google news

આપણે ઘણીવાર મહિલાઓને મંદિરો અને ગુરુદ્વારામાં માથું ઢાંકીને પ્રાર્થના કરતી જોઈ હશે. આ એક પ્રાચીન પરંપરા છે, જેનાં ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને જ કારણો છે. હિન્દુ સહિત શીખ અને અન્ય ધર્મમાં પણ ધાર્મિક કાર્યો દરમિયાન માથું ઢાંકવું જરૂરી હોય છે. પરંતુ શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે કે આખરે પૂજા કરતી વખતે મહિલાઓ મહિલાઓ માટે માથું ઢાંકવું શા માટે જરૂરી છે? ચાલો જાણીએ આ વિશે વિસ્તારથી....

પૂજા સમયે કેમ ઢાંકવામાં આવે છે માથું?

- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે, પૂજા કરતી વખતે માથું ઢાંકવાથી મન ભટકતું નથી અને સંપૂર્ણ ધ્યાન પૂજા પર જ કેન્દ્રિત રહે છે. તેના દ્વારા ભક્તો ભગવાન સાથે જોડાઈ શકે છે.

- હિન્દુ ધર્મમાં માથું ઢાંકવાને સન્માન સાથે પણ જોડવામાં આવ્યું છે. જ્યારે મહિલાઓ ઘરના વડીલોની સામે આવે ત્યારે માથે પલ્લુ રાખે છે. આ વડીલો પ્રત્યેનો તેમનો આદર છે. ભગવાન બધા કરતાં મોટા હોય છે, તેથી તેમને માથું ઢાંકીને આદર આપવામાં આવે છે.

ADVERTISEMENT

- વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મુજબ, આકાશી વિદ્યુત તરંગો ખુલ્લા માથામાં પ્રવેશ કરે છે અને તેને સૌથી વધુ પ્રભાવિત કરે છે. આ કારણે વ્યક્તિને ગુસ્સો, માથાનો દુખાવો, આંખની સમસ્યા વગેરે જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ વાળમાં ચુંબકીય શક્તિ પણ હોય છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ કોઈ ધાર્મિક સ્થળ પર હોય, જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હોય, તો આ સમસ્યાથી બચવા માટે તેમના માટે માથું ઢાંકવું જરૂરી બની જાય છે.

- એવું પણ માનવામાં આવે છે કે નેગેટિવ એનર્જી વાળ દ્વારા જ માનવ શરીરમાં પ્રવેશે છે. આપણે નેગેટિવ એનર્જીથી બચીને રહીએ એટલા માટે માથું ઢાંકવાનો રિવાજ છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT