દરરોજ સાંજે ઘરના મુખ્ય દ્વાર પર આ ખાસ તેલથી પ્રગટાવો દીવો, માં લક્ષ્મીજી થશે પ્રસન્ન!

ADVERTISEMENT

Vastu Tips
માં લક્ષ્મીજીને કરવા છે પ્રસન્ન?
social share
google news

Vastu Tips : સનાતન ધર્મમાં પૂજા-પાઠ દરમિયાન દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ હોય છે. હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય અથવા પૂજા-પાઠ, હવન વગેરે કરતી વખતે દીવો ચોક્કસ પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ધાર્મિક ગ્રંથોમાં પણ સાંજના સમયે દીપ પ્રગટાવવાનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. સાંજના સમયે એટલે કે સંધ્યાકાળમાં દીપ પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ સમયે ક્યા તેલથી દીપ પ્રગટાવવો વધુ શુભ માનવામાં આવે છે? ચાલો જાણીએ તેના વિશે વિગતવાર...

સાંજે કયા તેલથી દીવો પ્રગટાવવો જોઈએ?

સાંજના સમયે દીવો કરવા માટે સરસવનું તેલ સૌથી શુભ માનવામાં આવે છે. સરસવનું તેલ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને પ્રિય છે. આ તેલથી દીવો પ્રગટાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા બન્યા રહે છે. આ સાથે જ સરસવ, તલ અને અળસી સિવાય સાંજના સમયે મહુઆના તેલ (Mahua Oil) નો દીવો પણ પ્રગટાવવો જોઈએ. માન્યતા છે કે સાંજના સમયે આ તેલથી દીપ પ્રગટાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે, કારણ કે શાસ્ત્રો અનુસાર મહુઆનું તેલ (Mahua Oil)  ભગવાન શિવને ખૂબ પ્રિય છે. આવી સ્થિતિમાં સાંજના સમયે આ તેલનો દીવો પ્રગટાવવાથી ઘર-પરિવારમાં ખુશીઓ આવે છે.

દીપ પ્રગાવવાથી શું થાય છે ફાયદા?

- સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
- ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ રહે છે. ધન-દોલતમાં વૃદ્ધિ થાય છે, ઘરમાં ખુશીઓ આવે છે.
- આ સાથે જ મન શાંત થાય છે અને તણાવ દૂર થાય છે.
- હંમેશા સ્વચ્છ અને નવા વાસણમાં દીવો પ્રગટાવો અને તેને જમીન પર ન રાખો, પરંતુ પ્લેટ અથવા સ્ટૂલ પર રાખો. 
- જ્યાં સુધી તે સંપૂર્ણપણે બળી ન જાય ત્યાં સુધી દીવો સળગવા દો.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ દિશામાં પ્રગટાવો દીપ

વાસ્તુ અનુસાર, ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુ હંમેશા દીવો રાખવો શુભ માનવામાં આવે છે. અહીં તમે ઘી, તેલ, અળસી કે મહુઆનું તેલ લગાવી શકો છો. એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વાર પર નિયમિત દીવો પ્રગટાવવાથી ઘરમાં દરિદ્રતા રહેતી નથી અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક ગ્રંથોની માન્યતાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ નથી કરતા. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT