ઊંટ મર્યા બાદ બની જાય છે 'બોમ્બ', નજીક જવાથી થઈ શકે છે મોત

Gujarat Tak

ADVERTISEMENT

Camel Dead Body Fact
ઊંટનો મૃતદેહ હોય છે ખતરનાક
social share
google news

Camel Dead Body Fact : રાજસ્થાનના લોકો તેમના ઊંટને ખૂબ જ પ્રેમ કરે છે. તેને પોતાના બાળકની જેમ ઉછેરે છે. પરંતુ જ્યારે ઊંટનું મૃત્યુ થાય છે, ત્યારે તે ન તો પોતે તેના મૃતદેહની નજીક જાય છે અને ન તો બીજાને આવું કરવાની સલાહ આપે છે.

ખરેખર, મૃત્યુ પછી ઊંટનો મૃતદેહ બોમ્બ જેવો બની જાય છે. આવી સ્થિતિમાં, એક ઊંટનું મૃત શરીર બોમ્બની જેમ વિસ્ફોટ થઈ શકે છે. ચાલો જાણીએ કે મૃત્યુ પછી ઊંટના શરીરનું શું થાય છે કે તે બોમ્બ જેવું થઈ જાય છે.

મૃત્યુ પછી ઊંટનું શરીર બોમ્બ બની જાય છે

મૃત્યુ પછી, ઊંટના ખૂંધમાં હાજર ચરબી લાંબા સમય સુધી જમા રહે છે. બાદમાં ધીમે ધીમે તેમાંથી મિથેન ગેસ ઉત્પન્ન થવા લાગે છે. આ સિવાય જ્યારે ઊંટનું શરીર અંદરથી સડવા લાગે છે, ત્યારે કાર્બન ડાયોક્સાઈડ, નાઈટ્રોજન અને આવા અનેક ખતરનાક વાયુઓ ઊંટના આંતરડાની અંદર બનવા લાગે છે અને શરીરમાં ભરાવા લાગે છે.

ADVERTISEMENT

આના કારણે ઊંટનું પેટ ફૂલી જાય છે અને ખુબ જ ટાઈટ થઈ જાય છે. આ સ્થિતિમાં, જો કોઈ ઊંટના શરીર સાથે છેડછાડ કરે છે, તો તે ખરાબ રીતે ફાટી શકે છે. તેનો વિસ્ફોટ એટલો ભયંકર છે કે જો કોઈ તેની નજીક આવે તો તે ગંભીર રીતે ઘાયલ થઈ શકે છે.

અન્ય પ્રાણીઓ સાથે પણ આવું થાય છે

એવું નથી કે આવું માત્ર ઊંટ સાથે જ થાય છે. જો કોઈપણ પ્રાણીના મૃતદેહને ખુલ્લામાં છોડી દેવામાં આવે તો તે ગરમી અને તડકામાં ફુગ્ગાની જેમ ફૂલી જાય છે અને પછી બોમ્બની જેમ વિસ્ફોટ થાય છે. આ જ કારણ છે કે લોકો પ્રાણીઓના મૃત્યુ પછી તેમને માટીમાં દાટી દે છે. આમ કરવાથી શરીર ધીમે ધીમે માટીમાં ડીકમ્પોઝ થઈ જાય છે.

ADVERTISEMENT

એટલા માટે જ્યારે પણ તમે ખુલ્લામાં કોઈ પ્રાણીનો મૃતદેહ જુઓ, તો ભૂલથી પણ તેની નજીક ન જાવ, આવું કરવું તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. હકીકતમાં, જ્યારે પ્રાણીનું શરીર વિસ્ફોટ કરે છે, ત્યારે તેના હાડકાં અને માંસના મોટા ટુકડા તમને ઇજા પહોંચાડી શકે છે. થોડા મહિના પહેલા રાજસ્થાનના બિકાનેરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યારે એક વ્યક્તિ ઊંટના મૃતદેહની ઝપેટમાં આવવાથી ઈજાગ્રસ્ત થયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT