શિક્ષણમંત્રી જાણે શિક્ષક બન્યા હોય તેમ માનગઢ ફરવા આવેલા લોકોના માર્ગદર્શક બન્યા હતા. માનગઢ હીલ શ્રી ગોવિંદ ગુરુ સ્મૃતિ વન ખાતે ફરવા આવેલા વડોદરાના પ્રવાસીઓના ગાઇડ બન્યા હતા. આ સ્થળે ગાઇડના અભાવે પ્રવાસી માહિતી વગર પરત જઈ રહ્યા હતા. તે સમયે શિક્ષણમંત્રી ડો.કુબેર ડિંડોર ગાઇડ બનીને માહિતી આપી હતી. વડોદરાથી આવેલ પ્રવાસીઓને વિવિઘ સ્થળની તલસ્પર્શી માહિતી મંત્રી દ્વારા આપવામાં આવી હતી.