Ahmedabad: રાજીવ ગાંધી ભવન બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, કાચની બોટલો ફેંકાઈ

Gujarat Tak

ADVERTISEMENT

Congress and BJP
Congress and BJP
social share
google news

Ahmedabad Congress Party Office Attacked: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા સોમવારે એક નિવેદન આપવામાં આવ્યું હતું. જે નિવેદનને લઈને અમદાવાદમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે 24 કલાકમાં બીજી વખત હુમલો થયાની ઘટના સામે આવી છે. પહેલા હિન્દુ સંગઠનો દ્વારા અને હવે ભાજપના કાર્યકરો ત્યાં વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, આ દરમિયાન બંને પક્ષો વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. કાચની બોટલો પણ ફેંકાઈ હતી. ચોંકાવનારી બાબત એ છે કે પોલીસની હાજરીમાં જ બનેલી આ ઘટનામાં એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો, જેને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસ સાથે ભાજપના કાર્યકરોનું ઘર્ષણ

વિરોધ માટે પહોંચેલા ભાજપના કાર્યકરોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો અને જોત જોતામાં જ સ્થિતિ વણસી ગઈ હતી. ઘટનામાં ભાજપના કાર્યકરોનું પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું. ટોળાનું છૂટું પાડવા માટે પોલીસને લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. તો પથ્થરમારો કરનારા કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરીને ગાડીમાં બેસાડી દીધા હતા.

રાહુલ ગાંધીના પોસ્ટર્સ પર કાળો સ્પ્રે માર્યો

આ પહેલા અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો ભારે રોષ સાથે પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યાલયને તાળાબંધી કરી હતી. રાહુલ ગાંધીના પોસ્ટર્સ પર હિન્દુ સંગઠનના કાર્યકરોએ કાળો સ્પ્રે માર્યો હતો અને 'હિન્દુ મતલબ હિંસા' લખેલા રાહુલ ગાંધીના પોસ્ટર્સ લગાવ્યા હતા.

ADVERTISEMENT

અમિત ચાવડાએ ટ્વીટ કરીને ભાજપ પર સાધ્યું નિશાન

કોંગ્રેસના કાર્યાલય પર હુમલાને લઈને અમિત ચાવડાએ X પર પોસ્ટ કરીને ભાજપના લોકોએ રાતના અંધારામાં કોંગ્રેસના કાર્યાલય પર પથ્થર ફેંકવાની કાયરતાપૂર્ણની હરકત કરી હોવાનું કહ્યું હતું. તેમણે લખ્યું કે, અમે હુમલો કરનારા ભાજપ, RSSના નેતાઓને કહેવા માંગીએ છીએ કે હિંમત હોય તો સામે આવીને લડો. ગુજરાતમાં અમે તમને સત્ય-અહિંસાના હથિયારથી જ હરાવીશું. 

(વધુ વિગતો અપડેટ થઈ રહી છે)
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT