Shravan 2024 : ધનથી ભરાઈ જશે તિજોરી, સમસ્યાઓનો આવશે અંત; શ્રાવણના પહેલા શનિવારે કરો આ ખાસ ઉપાય

Gujarat Tak

27 Jul 2024 (अपडेटेड: Jul 27 2024 6:02 PM)

Shravan 2024 : આવતા મહિને ભગવાન ભોળાનાથ (Bholenath) ને પ્રિય શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ મહિનામાં ભોલેનાથ પૃથ્વી પર વાસ કરે છે.

Shravan 2024

શ્રાવણના ચમત્કારી ઉપાય

follow google news

Shravan 2024 : આવતા મહિને ભગવાન ભોળાનાથ (Bholenath) ને પ્રિય શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ મહિનામાં ભોલેનાથ પૃથ્વી પર વાસ કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે ભક્તો આ સમય દરમિયાન ભગવાન શિવની પૂજા કરે છે તેમને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે.

શ્રાવણ મહિનાના પહેલા શનિવારનું પણ ઘણું મહત્વ છે, શ્રાવણ મહિનાના પહેલા શનિવારે કેટલાક ઉપાયો કરવાથી જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે. ચાલો જાણીએ તે ઉપાય વિશે...  

શનિ દોષ 

જો તમે શનિ દોષથી પરેશાન છો તો તમારે શ્રાવણ મહિનાના પહેલા શનિવારે કોઈ પવિત્ર નદીમાં કાળા તલ પધરાવવા જોઈએ. આ સાથે જ કાળા તલનું દાન કરવું જોઈએ. આમ કરવાથી શનિદોષ તમારા પરથી દૂર થઈ જશે. સાથે જ અશુભ ગ્રહોના પ્રભાવથી પણ રાહત મળે છે.

પૈસાની અછત

જો તમે લાંબા સમયથી પૈસા (ધન) સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમારે શ્રાવણ મહિનાના પહેલા શનિવારે કાળા તલ અને કાળી અડદ કાળા કપડામાં બાંધીને કોઈ ગરીબને દાન કરવું જોઈએ. આમ કરવાથી તમારી આર્થિક તંગી દૂર થઈ જશે. સાથે જ તમારો બિઝનેસ પણ સારો ચાલવા લાગશે.  

મુશ્કેલીઓ દૂર કરવા માટે

જો તમે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલા છો, તો તમારે શ્રાવણ મહિનાના પહેલા શનિવારે એટલે કે આજે એક વાટકીમાં સરસવનું તેલ લો અને તેની સામે બેસીને શનિદેવના આ 'ऊँ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:।' મંત્રનો જાપ કરો. ત્યારબાદ આ તેલથી પીપળના ઝાડની નીચે દીવો પ્રગટાવો. આમ કરવાથી તમારી બધી સમસ્યાઓનો અંત આવશે. 

નોંધ: આ લેખમાં લખેલી માહિતીની જાણકારી તેની વિશ્વસનીયતાની ગેરંટી નથી. તેને જુદા જુદા માધ્યમો/જ્યોતિષ/પંચાગ/માન્યતાઓ/ધર્મગ્રંથોથી લઈને તમારા સમક્ષ પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર જાણકારી પહોંચાડવાનો છે. આથી વાંચકો તેને માત્ર જાણકારીના સંદર્ભમાં લે.

    follow whatsapp