પતિ-પત્ની વચ્ચે કેટલું હોવું જોઈએ ઉંમરનું અંતર? આચાર્ય ચાણક્યએ જણાવ્યું

Gujarat Tak

• 02:11 PM • 24 Jul 2024

ચાણક્યનીતિમાં સામાન્ય જીવનથી જોડાયેલી મહત્વપૂર્ણ વાતોનો ઉલ્લેખ કરાયો છે, જેમાં લગ્ન જીવનની વાતો પણ સામેલ છે. આચાર્ય ચાણક્યએ પતિ-પત્નીના સંબંધોને લઈને કેટલીક સલાહ આપી છે, જે અંગે આજે અમે વાત કરીશું.

chankya niti

ચાણક્ય નીતિ

follow google news

Chankya Niti : ચાણક્યનીતિમાં સામાન્ય જીવનથી જોડાયેલી મહત્વપૂર્ણ વાતોનો ઉલ્લેખ કરાયો છે, જેમાં લગ્ન જીવનની વાતો પણ સામેલ છે. આચાર્ય ચાણક્યએ પતિ-પત્નીના સંબંધોને લઈને કેટલીક સલાહ આપી છે, જે અંગે આજે અમે વાત કરીશું.

આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં પતિ અને પત્ની વચ્ચે ઉંમરના નિર્ણય પર કેટલીક મહત્વની વાત કહી છે. આચાર્ય ચાણક્યના અનુસાર, પતિ અને પત્ની વચ્ચે ઉંમરનું અંતર ક્યારેય પણ વધારે ન હોવું જોઈએ. પતિ-પત્નીનો સંબંધ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. જો બંને લોકો વચ્ચે ઉંમરનું અંતર વધારે હોય તો જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે.

પતિ-પત્ની વચ્ચે 3 થી 5 વર્ષ સુધીનું જ અંતર કાફી

આચાર્ય ચાણક્ય કહે છે કે ક્યારે કોઈ વધુ વૃદ્ધ વ્યક્તિને નાની ઉંમરની યુવતી સાથે લગ્ન ન કરવા જોઈએ. આ પ્રકારના લગ્ન ક્યારેય લાંબા સમય સુધી ટકી શકતા નથી. પુરૂષ અને મહિલા વચ્ચે ઉંમરનું વધારે અંતર હોવું જીવન તકલીફવાળુ વિતી શકે છે. જો પતિ-પત્ની વચ્ચે ઉંમરનું અંતર વધુ હોય છે તો બંનેની માનસિકતા પણ ઘણી અલગ હોય છે, જેનાથી સંબંધો નબળા પડે છે. ઉંમરનું અંતર 3 થી 5 વર્ષનું હોય તો બંને લોકોની માનસિકતામાં વધુ ફરક નથી પડતો. એકબીજાને સમજે છે જેનાથી સંબંધો હંમેશા સારા રહે છે.

આ પણ વાંચો: ચાણક્યએ જણાવ્યા છે પ્રગતિના 4 મંત્ર, કંગાળ પણ ધનવાન બની જાય છે

    follow whatsapp