ધન લાભ...નોકરીમાં પ્રોમોશન...બીમારી થશે દૂરઃ ઘોડાની આ મૂર્તિ ઘરે લાવવાથી ચમકી જશે કિસ્મત

Gujarat Tak

• 06:14 PM • 26 Jun 2024

Feng Shui Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘણી એવી શુભ વસ્તુઓ છે જેને ઘરમાં રાખવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. તેવી જ રીતે ઘોડાની મૂર્તિ વાસ્તુ શાસ્ત્રની સાથે જ ફેંગશુઈમાં પણ શુભ માનવામાં આવે છે. તેને રાખવાથી જીવનમાં ઘણી ચમત્કારી અસર જોવા મળે છે.

Feng Shui Tips

ઘોડાની આ મૂર્તિ ચમકાવી શકે છે કિસ્મત

follow google news

Feng Shui Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘણી એવી શુભ વસ્તુઓ છે જેને ઘરમાં રાખવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. તેવી જ રીતે ઘોડાની મૂર્તિ વાસ્તુ શાસ્ત્રની સાથે જ ફેંગશુઈમાં પણ શુભ માનવામાં આવે છે. તેને રાખવાથી જીવનમાં ઘણી ચમત્કારી અસર જોવા મળે છે. 

આ પણ વાંચો

વાસ્તુશાસ્ત્રની સાથે સાથે ફેંગશુઈએ પણ ઘરમાં ઘોડાની મૂર્તિ રાખવી ફાયદાકારક ગણાવી છે. ફેંગશુઈ અનુસાર, જો કોઈ વ્યક્તિના જીવનમાં લાંબા સમયથી કોઈ સમસ્યા ચાલી રહી હોય તો આ ઘોડાની મૂર્તિ તેને દૂર કરી શકે છે. આ ઘોડાની મૂર્તિ એક કે બે રીતે જ નહીં, પરંતુ અનેક રીતે વ્યક્તિની ઘણી સમસ્યાને દૂર કરી શકે છે. પરંતુ આ માટે તેનો યોગ્ય ઉપયોગ કરતા પણ આવડવું જરૂરી છે. ચાલો આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ કે કેવા ઘોડાની મૂર્તિ જીવનમાં સકારાત્મક અસર કરી શકે છે અને તેને કઈ દિશામાં રાખવી ફાયદાકારક માનવામાં આવે છે. 

ઘરમાંથી કલેશ દૂર થશે

ફેંગશુઈ અનુસાર, જો ઘરમાં કલેશની સ્થિતિ હોય તો ઘોડાની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે કલેશને દૂર કરે છે, સાથે જ પરિવારમાં ખુશી પણ જળવાઈ રહે છે.

બીમારીને કરે છે દૂર

ફેંગશુઈ અનુસાર, જો ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો ત્યાં ઘોડાની મૂર્તિ રાખવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે બીમારીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

આર્થિક સ્થિતિ થશે મજબૂત

ફેંગશુઈ અનુસાર, જો બિઝનેસમાં મંદી આવી ગઈ હોય તો ઘોડાની મૂર્તિ ત્યાં રાખવી લાભકારી માનવામાં આવે છે. તેને ઓફિસમાં રાખવાથી મંદીની સમસ્યા પણ દૂર થઈ જાય છે.

સુખ અને સમૃદ્ધિમાં વધારો

ફેંગશુઈમાં એવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવાનું કામ કરે છે. ઘરમાં ઘોડાની મૂર્તિ રાખવાથી ત્યાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેની સાથે જ ત્યાં સુખ અને સમૃદ્ધિ પણ બની રહે છે.

આ દિશામાં રાખો મૂર્તિ 

ફેંગશુઈ અનુસાર, ઘોડાની મૂર્તિ રાખવાની દિશા શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ઘરની ઉત્તર દિશામાં ઘોડાની મૂર્તિ રાખવી ફાયદાકારક અને શુભ માનવામાં આવે છે. જો તમે બિઝનેસમાં નફો ઈચ્છતા હોવ તો તમારા ઓફિસમાં ઉત્તર દિશામાં ઘોડાની મૂર્તિને જરૂર રાખો. 
 
નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટી કરતા નથી. 

    follow whatsapp