MSP પર કાયદો બનાવશે સરકાર? કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યસભામાં આપ્યો જવાબ

Gujarat Tak

• 07:16 PM • 26 Jul 2024

ખેડૂતોના મુદ્દે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન ભારે હોબાળો થયો હતો. પ્રશ્નકાળ દરમિયાન સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ રામજી લાલ સુમને 12 જુલાઈ, 2000 ના રોજ ખેડૂતોની સમસ્યાઓ પર રચાયેલી સમિતિની બેઠકોની વિગતો વિશે પૂછ્યું.

shivraj singh chouhan In rajya sabha

કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

follow google news

MSP Legal Guarantee: ખેડૂતોના મુદ્દે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન ભારે હોબાળો થયો હતો. પ્રશ્નકાળ દરમિયાન સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ રામજી લાલ સુમને 12 જુલાઈ, 2000 ના રોજ ખેડૂતોની સમસ્યાઓ પર રચાયેલી સમિતિની બેઠકોની વિગતો વિશે પૂછ્યું. જેના જવાબમાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ખેડૂત આપણા માટે ભગવાન સમાન છે અને ખેડૂતની સેવા આપણા માટે પૂજા સમાન છે. આ સમિતિની રચના ત્રણ ઉદ્દેશ્યો સાથે કરવામાં આવી હતી, જેમાં MSP ઉપલબ્ધ કરાવવા, સિસ્ટમને પારદર્શક બનાવવાની સાથે કૃષિ ભાવો અને કૃષિ વિતરણ પ્રણાલીમાં વધુ સ્વાયત્તતા માટે સૂચનો આપવા માટે.

કૃષિ મંત્રીએ કહ્યું કે, સમિતિની 22 બેઠકો યોજાઈ છે. સમિતિ દ્વારા આપવામાં આવેલી ભલામણો પર વિચાર કરવામાં આવશે. આ અનિશ્ચિતતાનું વાતાવરણ છે. આ ક્યારે દૂર થશે? આ જે ખેડૂતોને ભગવાન ગણાવી રહ્યા છે, આ લોકોને ખેડૂતો સાથે કોઈ લેવાદેવા નથી. તમે MSP ને કાનૂની દરજ્જો આપવા માંગો છો કે નહીં તેનો સીધો જવાબ આપો. બચો નહીં. આ પછી અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે, રામ, શિવને પ્રશ્નો પૂછી રહ્યા છો. તેના જવાબમાં શિવરાજે કહ્યું કે, ખેડૂતોને વાજબી ભાવ આપવા માટે MSPના દરોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. તેઓ ખોટા આક્ષેપો કરી રહ્યા છે. સરકાર પાસે છ મુદ્દાની વ્યૂહરચના છે.

શિવરાજે ઉત્પાદન વધારવાથી લઈને ખર્ચ ઘટાડવા સુધીના પગલાંની યાદી આપી અને કહ્યું કે અમને ખેડૂત વિરોધી કહેવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીજીથી વધુ ખેડૂત હિતેચ્છુ કોઈ નથી. વાજબી ભાવ આપવા માટે કમિટિનો રિપોર્ટ આવશે ત્યારે જ કાર્યવાહી કરીશું. પણ ત્યાં સુધી આપણે ચૂપ બેસવાના નથી. તેમણે પાકના MSP ભાવમાં વધારાના આંકડા ગણાવ્યા અને કહ્યું કે આ 23 પાકોના ભાવ જુઓ. આ દરમિયાન વિપક્ષી સભ્યોએ હંગામો શરૂ કર્યો હતો. 

શિવરાજે કહ્યું કે, જ્યારે સુરજેવાલાજીની સરકાર સત્તામાં હતી, તેના કરતા બમણી MSP આપી છે નરેન્દ્ર મોદીની સરકારે. અમે ખેડૂતોના હિતમાં સતત નિર્ણયો લઈ રહ્યા છીએ.

તેમણે ખેડૂતો માટે સન્માન નિધિની સાથે ઘઉં અને ડાંગરની ખરીદી વધારવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. શિવરાજે કહ્યું કે, સરકાર ખાતર પર 1 લાખ 68 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપી રહી છે. વધુ પગલાં જરૂરી છે અને સરકાર તેમના માટે ગંભીર છે. આ પછી રણદીપ સુરજેવાલા અને અન્ય વિપક્ષી સાંસદોએ MSPની કાયદાકીય ગેરંટી અંગે હંગામો શરૂ કર્યો. હોબાળા વચ્ચે અધ્યક્ષે બંને પક્ષના સભ્યોને બેસવા કહ્યું. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ખેડૂતો જે પણ તુવેર, મસૂર અને અડદનું ઉત્પાદન કરશે તે સરકાર ખરીદશે.

કૃષિ મંત્રીએ યુપીએ અને એનડીએ સરકારના કાર્યકાળ દરમિયાન એમએસપી પર કરવામાં આવેલી ખરીદીના આંકડા ગણાવ્યા અને કહ્યું કે આ મગરના આંસુ વહાવી રહ્યા છે. સપ્લીમેન્ટરીની માંગને લઈને વિપક્ષના હોબાળા અંગે અધ્યક્ષે કહ્યું કે, સપ્લીમેન્ટરી બંદૂકના જોરે લેવામાં આવશે, આવું નહીં થાય. તેણે કહ્યું કે તમે બાળકની જેમ કેમ જીદ કરી રહ્યા છો રણદીપ, ના. શિવરાજે યુપીએ સરકારની કેબિનેટ નોટ પણ ટેબલ પર મૂકી હતી જેમાં ખર્ચ પર 50 ટકાનો વધારો કરીને એમએસપી નક્કી કરવાનો ઇનકાર કરવા વિશે જણાવવામાં આવ્યું હતું. તેમણે સ્વામીનાથન કમિટીની ભલામણોને લાગુ કરવાના ઈન્કારનો પણ ઉલ્લેખ કર્યો. આ દરમિયાન વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ માત્ર ખેડૂતોના નામે રાજનીતિ કરવા માંગે છે અને દેશને અરાજકતામાં ધકેલી દેવા માંગે છે. હું આ વાત પૂરી જવાબદારી સાથે કહું છું, અમે ખેડૂતોના ભલા માટે કામ કરવામાં કોઈ કસર છોડીશું નહીં.

    follow whatsapp