સાંસદ કંગના રનૌતના ખેડૂતો પરના નિવેદનથી મોટો હોબાળો, વિવાદ વધતા BJP એ ખુલાસો આપવો પડ્યો

Yogesh Gajjar

• 05:47 PM • 26 Aug 2024

Kangana Ranaut on Farmers: હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટના બીજેપી સાંસદ કંગના રનૌતે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ખેડૂતોના આંદોલનને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ વિપક્ષે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું અને કંગના સામે કેસ નોંધવાની માંગ કરી.

Kangana Ranuat

Kangana Ranuat

follow google news

Kangana Ranaut on Farmers: હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટના બીજેપી સાંસદ કંગના રનૌતે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ખેડૂતોના આંદોલનને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ વિપક્ષે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું અને કંગના સામે કેસ નોંધવાની માંગ કરી. વધતા વિવાદને જોતા, પાર્ટીએ હવે કંગના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર વાંધો ઉઠાવતા એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે કંગનાને ભવિષ્યમાં આવું કોઈ નિવેદન ન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

વાસ્તવમાં, કંગના રનૌતે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, જો અમારી શીર્ષ નેતૃત્વ મજબૂત ન હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન પંજાબ બાંગ્લાદેશમાં ફેરવાઈ ગયું હોત. કંગના રનૌતના આ નિવેદન પર વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યું છે. કોંગ્રેસે કંગના સામે NSA હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે. તે જ સમયે, બીજેપીએ પણ કંગનાના નિવેદનથી પોતાને દૂર કરતા કહ્યું કે આ તેમનું અંગત નિવેદન છે અને પાર્ટીને તેની સાથે કોઈ લેવાદેવા નથી.

ભાજપે ખુલાસો કરીને શું કહ્યું?

કંગનાના વિવાદાસ્પદ નિવેદન પર બીજેપીના સેન્ટ્રલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "ખેડૂતોના આંદોલનના સંદર્ભમાં બીજેપી સાંસદ કંગના રનૌત દ્વારા આપવામાં આવેલ નિવેદન પાર્ટીનો અભિપ્રાય નથી. ભારતીય જનતા પાર્ટી કંગના રનૌતના નિવેદન સાથે અસહમતિ વ્યક્ત કરે છે. પાર્ટી વતી, નીતિગત વિષયો પર બોલવા માટે કંગના રનૌતને અનુમતિ નથી અને તે નિવેદન આપવા માટે અધિકૃત નથી. ભાજપ તરફથી કંગના રનૌતને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ ભવિષ્યમાં આ પ્રકારના કોઈ નિવેદનો ન આપે."

કંગના રનૌતે ખેડૂતોના આંદોલન અંગે શું કહ્યું?

એક મીડિયા ઈન્ટરવ્યુમાં બીજેપી સાંસદ કંગના રનૌતે કહ્યું હતું કે, જો અમારું શીર્ષ નેતૃત્વ નબળું હોત તો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં થઈ શકી હોત. ખેડૂતોના આંદોલન દરમિયાન શું થયું તે બધાએ જોયું. પ્રદર્શનના નામે હિંસા ફેલાવવામાં આવી હતી. ત્યાં બળાત્કાર થઈ રહ્યા હતા, લોકોને મારીને ફાંસી આપવામાં આવી રહી હતી. કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને પાછો ખેંચવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા કંગનાએ કહ્યું કે જ્યારે બિલ પાછું ખેંચવામાં આવ્યું ત્યારે તમામ ઉપદ્રવીઓ ચોંકી ગયા હતા. કારણ કે તેમનું પ્લાનિંગ ઘણું લાંબુ હતું.

કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા

કંગનાના આ નિવેદન પર વિરોધ પક્ષોએ નિશાન સાધ્યું હતું. પંજાબ કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી રાજ કુમાર વેરકાએ કંગના રનૌત વિરુદ્ધ FIR નોંધવાની અને NSA હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે. પંજાબના મુખ્યમંત્રીને અપીલ કરતા તેમણે કહ્યું કે, કંગનાએ પંજાબ અને ખેડૂતોને બદનામ કર્યા છે. આવી સ્થિતિમાં તેને ડિબ્રુગઢ જેલમાં મોકલી દેવી જોઈએ. વેરકાએ કહ્યું કે કંગના દરરોજ પંજાબના નેતાઓ અને ખેડૂતો પર સવાલ ઉઠાવે છે. તેમની સામે પગલાં લેવા જોઈએ.
 

    follow whatsapp