NEETના 4 લાખ વિદ્યાર્થીઓના માર્ક્સ ઘટશે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બદલાશે ટોપર્સનું લિસ્ટ

Gujarat Tak

• 08:12 PM • 23 Jul 2024

સુપ્રીમ કોર્ટે NEET-UG 2024 પરીક્ષાના કેસમાં મંગળવારે (23 જુલાઈ) પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. આ ચુકાદા બાદ NEETની પરીક્ષા આપનારા 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને 4 માર્કસનું નુકસાન થશે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે 4 જવાબોના સેટમાંથી માત્ર એક સાચો જવાબ માન્ય રહેશે.

supreme court on neet

NEET મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

follow google news

NEET UG 2024: સુપ્રીમ કોર્ટે NEET-UG 2024 પરીક્ષાના કેસમાં મંગળવારે (23 જુલાઈ) પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. આ ચુકાદા બાદ NEETની પરીક્ષા આપનારા 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને 4 માર્કસનું નુકસાન થશે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે 4 જવાબોના સેટમાંથી માત્ર એક સાચો જવાબ માન્ય રહેશે.

આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો અર્થ એ છે કે હવે ટોપર્સની સંખ્યા 61 રહેશે નહીં. NEETના પેપરમાં 61માંથી 44 વિદ્યાર્થીઓ એવા હતા જેમને બેમાંથી એક જવાબ સાચો હોવા છતાં પણ પૂરા માર્કસ મળ્યા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને કારણે હવે ટોપર્સની સંખ્યામાં ઘટાડો થશે. હવે માત્ર 17 ટોપર્સ રહેશે.

આ પણ વાંચો: NEETની પરીક્ષા ફરીથી નહીં લેવામાં આવે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

વિવાદાસ્પદ પ્રશ્ન પર સમિતિએ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટનો આ આદેશ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT), દિલ્હીના ત્રણ નિષ્ણાતોની ટીમ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ બાદ આવ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે કહ્યું કે, અમે IIT દિલ્હીનો જવાબ જોયો. NTA એ પ્રશ્નના 2 અને 4 બંને વિકલ્પોને સાચા ગણ્યા અને માર્ક્સ આપ્યા. જેના માટે IIT દિલ્હીના ડિરેક્ટરે 3 સભ્યોની કમિટીની રચના કરી હતી. જેમાં પ્રોફેસર પ્રદિપ્તા ઘોષ, પ્રોફેસર આદિત્ય નારાયણ અગ્નિહોત્રી અને પ્રોફેસર સંકલ્પ ઘોષ સામેલ હતા. તેણે વિકલ્પ 4 ને સાચો જવાબ ગણ્યો.

NTA એ ફરીથી પરિણામ જાહેર કરે : CJI

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં CJI DY ચંદ્રચુડની ખંડપીઠે કહ્યું કે, દિલ્હી IITની 3 સભ્યોની સમિતિના વિકલ્પ 4ને યોગ્ય માનવામાં આવે છે. તેથી આ આધારે, અમે વિકલ્પ 4ને સાચો માનીએ છીએ અને કેસ રિપોર્ટ સ્વીકારીએ છીએ. CJIએ કહ્યું કે આવી સ્થિતિમાં NTAએ તેના આધારે ફરીથી પરિણામ જાહેર કરવું જોઈએ.

જે વિદ્યાર્થીઓને સમસ્યા હોય તેઓ હાઈકોર્ટમાં જઈ શકે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 1563 વિદ્યાર્થીઓને વિશેષ પરીક્ષા અથવા જૂના પરિણામ સ્વીકારવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ માટે NTAએ એક ખાસ પરીક્ષાનું આયોજન કર્યું હતું. CJIએ કહ્યું કે જે વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કોઈ અંગત સમસ્યા હોય તેઓ આ માટે હાઈકોર્ટ જઈ શકે છે.

SCએ પુનઃ પરીક્ષા લેવાનો ઇનકાર કર્યો હતો

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાલના તબક્કે રેકોર્ડ પર એવી કોઈ સામગ્રી નથી કે જેના પરથી એવું તારણ કાઢી શકાય કે પરીક્ષાનું પરિણામ ભ્રષ્ટ હતું. બેન્ચે કહ્યું કે, NEET પરીક્ષામાં કોઈ પદ્ધતિસરની ગેરરીતિ જોવા મળી નથી. ભૌતિકશાસ્ત્રના વિવાદાસ્પદ પ્રશ્ન અંગે પણ તેમણે કહ્યું કે, સાચો જવાબ વિકલ્પ 4 છે. કોર્ટે કહ્યું કે, અમે IIT દિલ્હીના રિપોર્ટને સ્વીકારીએ છીએ અને તેના જવાબ મુજબ NEET UG પરિણામ ફરીથી જાહેર કરીએ છીએ.

    follow whatsapp