'મોહમ્મદ અઝહરૂદ્દીને' છોડ્યો મુસ્લિમ ધર્મ, કાશીમાં પરિવાર સાથે અપનાવ્યો સનાતન ધર્મ

Gujarat Tak

02 Jul 2024 (अपडेटेड: Jul 2 2024 1:52 PM)

મહાદેવની નગરી કાશીમાં મોહમ્મદ અઝહરુદ્દીને પરિવાર સહિત મુસ્લિમ ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સનાતન સંસ્કૃતિથી પ્રભાવિત મોહમ્મદ અઝહરુદ્દીને તેના સમગ્ર પરિવાર સાથે સનાતન ધર્મ અપનાવ્યો હતો.

Mohammad Azharuddin Left Muslim Religion

'મોહમ્મદ અઝહરૂદ્દીને' અપનાવ્યો સનાતન ધર્મ

follow google news

Mohammad Azharuddin Left Muslim Religion : મહાદેવની નગરી કાશીમાં મોહમ્મદ અઝહરુદ્દીને પરિવાર સહિત મુસ્લિમ ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સનાતન સંસ્કૃતિથી પ્રભાવિત મોહમ્મદ અઝહરુદ્દીને તેના સમગ્ર પરિવાર સાથે સનાતન ધર્મ અપનાવ્યો હતો.

આ પણ વાંચો

મોહમ્મદ અઝહરુદ્દીન ચંદૌલી જિલ્લાનો રહેવાસી છે. તેમણે તેમની પત્ની અને પુત્ર સાથે વૈદિક મંત્રોના પાઠ કરીને અને હવન પૂજા કરીને સનાતન ધર્મ અપનાવ્યો. આ ઉપરાંત સભ્યોના જૂના નામો બદલીને નવા નામ પણ રાખવામાં આવ્યા હતા. વારાણસીના ભોજબીરમાં સ્થિત આર્ય સમાજ મંદિરે આ માહિતી આપી છે.

પરિવારે બદલ્યા પોતાના નામ

મોહમ્મદ અઝહરુદ્દીને તેની પત્ની અને પુત્ર સાથે સનાતન ધર્મ સ્વીકાર્યો હતો, આ પરિવાર ચંદૌલીનો રહેવાસી છે. વૈદિક મંત્રોનો જાપ કરતી વખતે આ લોકોએ સનાતન ધર્મનો સ્વીકાર કર્યો. ત્યારબાદ મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ ડબલ્યુ સિંહ, તેમની પત્નીનું નામ રિઝવાનાથી ગુડિયા સિંહ અને તેમના પુત્રનું નામ મોહમ્મદ રાજથી રાજ સિંહ કરવામાં આવ્યું.

સનાતન પરંપરાથી પ્રભાવિત થઈને આ ધર્મ સ્વીકાર્યો

પરિવારનું કહેવું છે કે અમારા પરિવારે સનાતન પરંપરાથી પ્રભાવિત થઈને આ ધર્મ સ્વીકાર્યો છે. આ અમારી ઈચ્છા છે, આમાં કોઈપણ પ્રકારનું દબાણ નથી. આ દરમિયાન પરિવારની સાથે અન્ય સભ્યો પણ ઓફિસમાં હાજર હતા જ્યાં પરિવારને મીઠાઈ પણ ખવડાવવામાં આવી હતી. જો કે આ બાબતે સ્થાનિક લોકોમાં પણ ભારે ચર્ચા જાગી હતી.

    follow whatsapp