Kuwait fire: કુવૈતની બિલ્ડિંગમાં ભીષણ આગ, 40 ભારતીયો જીવતા ભડથું થયા

Gujarat Tak

12 Jun 2024 (अपडेटेड: Jun 12 2024 4:57 PM)

કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 10 ભારતીય સહિત 41 થી વધુ લોકોના મોત થયા છે. બુધવારે સવારે આગ ફાટી નીકળી હતી અને આખી ઈમારત રાખ થઈ ગઈ હતી.

Kuwait fire

Kuwait fire

follow google news

41 killed as major fire erupts in Kuwait building:  કુવૈતના મંગાફમાં બુધવારે સવારે એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 43 લોકોના મોત થયા હતા અને 30 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 40 ભારતીયોનો સમાવેશ થાય છે. કુવૈતમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે આગની ઘટનામાં 30 થી વધુ ભારતીય કામદારો ઘાયલ થયા છે. આ ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે 6 વાગ્યે મંગફ શહેરમાં બની હતી. 

ભારતીય માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો

કુવૈતના દક્ષિણ અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે છ માળની ઈમારતના રસોડામાં આગ લાગી હતી. અધિકારીઓએ આગના કારણની તપાસ શરૂ કરી છે. કહેવાય છે કે બિલ્ડિંગમાં લગભગ 160 લોકો રહેતા હતા, જેઓ એક જ કંપનીના કર્મચારી છે. કુવૈતમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "ભારતીય કામદારોને સંડોવતા આગની દુ:ખદ ઘટનાના સંબંધમાં, એમ્બેસીએ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર +965-65505246 શરૂ કર્યો છે." તમામ સંબંધિતોને અપડેટ્સ માટે આ હેલ્પલાઈન સાથે જોડાવા વિનંતી છે. એમ્બેસી તમામ શક્ય મદદ પૂરી પાડશે.
 

ભારતીય વિદેશમંત્રીનું ટ્વિટ

કુવૈત શહેરમાં આગની ઘટના અંગે વિદેશ મંત્રી ડો.એસ. જયશંકરે એક્સ પર કહ્યું, 'આગની ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. અહેવાલ છે કે 40 થી વધુ લોકોના મોત થયા છે અને 50 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. અમારા રાજદૂત કેમ્પમાં ગયા છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. દુ:ખદ રીતે જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના છે. હું ઘાયલોની ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થતાની કામના કરું છું. અમારું દૂતાવાસ આ સંબંધમાં તમામ સંબંધિતોને સંપૂર્ણ મદદ કરશે.

    follow whatsapp