Jagannath Rath Yatra: પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન દુર્ઘટના, ભગવાન બલભદ્રની મૂર્તિ પડી; 8 લોકો ઈજાગ્રસ્ત

Gujarat Tak

• 10:39 AM • 10 Jul 2024

Puri Jagannath Rath Yatra: ઓડિશાના પુરીમાં મંગળવારે રથયાત્રા બાદ એક કાર્યક્રમ દરમિયાન ભગવાન બલભદ્રની મૂર્તિ નીચે પડી જતાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ત્યારે ઘટી જ્યારે સાંજના સમયે ત્રણેય મૂર્તિઓને રથથી ઉતારીને ગુંડિચા મંદિરના અડાપા મંડપમાં લઈ જવામાં આવી રહી હતી.

Jagannath Rath Yatra

પુરીમાં દુર્ઘટના

follow google news

Puri Jagannath Rath Yatra:  ઓડિશાના પુરીમાં મંગળવારે રથયાત્રા બાદ એક કાર્યક્રમ દરમિયાન ભગવાન બલભદ્રની મૂર્તિ નીચે પડી જતાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ત્યારે ઘટી જ્યારે સાંજના સમયે ત્રણેય મૂર્તિઓને રથથી ઉતારીને ગુંડિચા મંદિરના અડાપા મંડપમાં લઈ જવામાં આવી રહી હતી. 

રથમાંથી મૂર્તિ ઉતારી વખતે હાથમાંથી લપસી

અન્ય ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ મૂર્તિઓની 'પહાંડી' શરૂ થઈ, જ્યાં ત્રણેય મૂર્તિઓને સેવકો ધીમે-ધીમે ઝૂલાવતા અડાપા મંડપમાં જઈ રહ્યા હતા. જોકો, જ્યારે તેઓ ભગવાન બલભદ્રની મૂર્તિને તેમના રથ, તલધ્વજથી ઉતારી રહ્યા હતા, ત્યારે મૂર્તિ સેવકોના હાથમાંથી લપસી ગઈ હતી અને સેવકો પર પડી હતી. આ મામલે જિલ્લા અધિકારીએ જણાવ્યું કે કુલ 8 લોકો ઈજાગ્રસ્ત છે જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ત્યાં ઉભેલા કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે, પરંતુ કોઈ ગંભીર નથી.

સોમવારે પણ મચી હતી ભાગદોડ

સોમવારે પુરીમાં રથયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આમાં ઈજાગ્રસ્ત થયેલા ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.  આ ઉપરાંત રથ ખેંચતી વખતે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

સુરક્ષા માટે તૈનાત હતા 180 પ્લાટૂન 

રથયાત્રામાં 180 પ્લાટૂન (એક પ્લાટૂનમાં 30 જવાન હોય છે) સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. યાત્રાધામના અન્ય મહત્વના સ્થળોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.


 

    follow whatsapp