Anantnag Encounter Update: શહીદ પુત્રને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા પિતા માટે સૌથી મુશ્કેલ રહ્યા આ દસ ડગલાં- Video

Anantnag Encounter News: કાશ્મીર ખીણમાં કોકોરેનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક બટાલિયન કમાન્ડિંગ કર્નલ, જમ્મુ અને કાશ્મીર પોલીસના એક મેજર અને ડીએસપી શહીદ થયા હતા…

gujarattak
follow google news

Anantnag Encounter News: કાશ્મીર ખીણમાં કોકોરેનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક બટાલિયન કમાન્ડિંગ કર્નલ, જમ્મુ અને કાશ્મીર પોલીસના એક મેજર અને ડીએસપી શહીદ થયા હતા જ્યારે એક જવાન શહીદ થયો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસના બહાદુર ડીએસપી હુમાયુ ભટ્ટ (DSP Humayu Bhatt) બડગામના હુમહામામાં રહેતા હતા. જ્યારે તેમનો મૃતદેહ ઘરે પહોંચ્યો ત્યારે અંતિમયાત્રામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. મધ્યરાત્રિએ હજારો હાથ ઉંચા કરીને પ્રાર્થના કરવામાં આવી હતી અને ફાતિહા વાંચવામાં આવી હતી. જ્યારે ડીએસપીના પાર્થિવ દેહને બડગામ સ્થિત તેમના ઘરે લાવવામાં આવ્યો ત્યારે વાતાવરણ ગમગીન હતું.

પરિવારને કલ્પના પણ નહોતી કે બહાદુર વ્હાલસોયો અચાનક આ રીતે જતો રહેશે. ડીએસપીના મૃતદેહને જોઈને ઘરની મહિલાઓ રડવા લાગી, તેઓ પોતાના આંસુ પર કાબુ ન રાખી શકી. પરિવારના સભ્યો શોકગ્રસ્ત હાલતમાં છે અને રડી રહ્યા છે. બુધવારે સાંજે શ્રીનગરની પોલીસ લાઈનમાં ડીએસપીને સંપૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

અહીં વિડિયો જુઓ

આ સમય દરમિયાન, ભૂતપૂર્વ આઈજી અને ડીએસપી હુમાયુ ભટ્ટના પિતા ગુલામ હસન ભટ્ટ તેમના શહીદ પુત્રના નશ્વર દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા. વૃદ્ધ પિતાએ તેમના પુત્ર શહીદ ડીએસપી હુમાયુ ભટ્ટને ધ્રૂજતા હાથ અને ભીની આંખો સાથે ઉદાસીભર્યા વાતાવરણ વચ્ચે શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે પોતાના પુત્રના અંતિમ સંસ્કારને ધ્રૂજતા પગલાઓ સાથે પુરા કર્યા હતા.

જ્યારે એક વૃદ્ધ પિતાએ તેમના યુવાન અધિકારી પુત્રના મૃતદેહને શ્રદ્ધાંજલિ આપી ત્યારે દરેકની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. આ દ્રશ્યે સૌને રડાવી દીધા હતા. આ પછી ડીએસપી હુમાયુ ભટ્ટના મૃતદેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમના શહીદ પુત્રને જોઈને રોકક્કડ મચી ગઈ હતી. ડીએસપી હુમાયુના પાર્થિવ દેહને બડગામમાં દફનાવવામાં આવ્યો હતો.

‘ઘરમાં ખાવા માટે ધાન નથી’, પાલનપુરમાં ડોક્ટરે મકાન બંધાવી પૈસા ન ચૂકવતા શ્રમજીવી પતિ-પત્નીનો આપઘાત

પરિવારમાં બે મહિનાની પુત્રી, પત્ની પ્રોફેસર અને પિતા નિવૃત્ત આઈજીનો સમાવેશ થાય છે.

શહીદ ડીએસપી હુમાયુ ભટ્ટના પરિવારમાં તેમની પત્ની અને બે મહિનાની પુત્રીનો સમાવેશ થાય છે. ગયા વર્ષે તેના લગ્ન થયા હતા. તેમના પિતા ગુલામ હસન ભટ્ટ ભૂતપૂર્વ ડીઆઈજી છે. તે મૂળ પુલવામા જિલ્લાનો રહેવાસી છે. હવે આ પરિવાર બડગામના હુમહામા વિસ્તારની એક કોલોનીમાં રહે છે. હુમાયુ ભટ્ટ છેલ્લા ત્રણ વર્ષથી જમ્મુ-કાશ્મીર પોલીસમાં ડીએસપી તરીકે કાર્યરત હતા. તેના પિતા નિવૃત પોલીસ અધિકારી છે. હુમાયુની પત્ની પ્રોફેસર છે.

તમને જણાવી દઈએ કે બુધવારે સવારે અનંતનાગ જિલ્લાના ગરોલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી, જેમાં 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ ઘટનાસ્થળે જ શહીદ થયા હતા. મેજર આશિષ ધોનક અને ડીએસપી હુમાયુ ભટ્ટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પછી ઘાયલ અધિકારીઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ બચી શક્યા ન હતા.

પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શોક વ્યક્ત કર્યો

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શહીદના સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, ‘જમ્મુ અને કાશ્મીરમાંથી દુઃખદ સમાચાર છે, દક્ષિણ કાશ્મીરના કોકરનાગ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં આર્મીના એક કર્નલ, એક મેજર અને એક ડીએસપી શહીદ થયા છે. આતંકીઓ સાથેની અથડામણમાં ડીવાયએસપી હુમાયુ ભટ્ટ, મેજર આશિષ ધોનક અને કર્નલ મનપ્રીત સિંહ શહીદ થયા હતા. તેમની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને આ મુશ્કેલ સમયને સહન કરવાની શક્તિ મળે.

મહેબૂબા મુફ્તીએ પરિવાર પ્રત્યે વ્યક્ત કરી સંવેદના

દરમિયાન, પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે હિંસાના આવા કૃત્યો માટે કોઈ સ્થાન નથી. પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ ગનીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. ભાજપના નેતા અલ્તાફ ઠાકુરે શહીદ અધિકારીઓને શ્રદ્ધાંજલિ આપી.

    follow whatsapp