લોનાવાલામાં 10 સંબંધીઓની આંખ સામે તણાયો આખો પરિવાર, પિકનિકની ખુશી વચ્ચે માતમ છવાયો

Gujarat Tak

• 03:49 PM • 01 Jul 2024

Lonavala Family Drowned: મહારાષ્ટ્રના લોનાવલામાં ભૂશી ડેમ પાસે આવેલા ધોધમાં અચાનક પૂરના કારણે એક જ પરિવારના ત્રણ લોકો વહી ગયા હતા, જ્યારે 4 અને 9 વર્ષના બે બાળકો હજુ પણ ગુમ છે. તેમને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જે પરિવાર સાથે આ ઘટના ઘટી હતી તે ત્યાં પિકનિક માટે આવ્યો હતો.

ધોધમાં ફસાયેલા પરિવારની તસવીર

Lonavala

follow google news

Pune Lonavala Tragedy: મહારાષ્ટ્રના લોનાવલામાં ભૂશી ડેમ પાસે આવેલા ધોધમાં અચાનક પૂરના કારણે એક જ પરિવારના ત્રણ લોકો વહી ગયા હતા, જ્યારે 4 અને 9 વર્ષના બે બાળકો હજુ પણ ગુમ છે. તેમને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જે પરિવાર સાથે આ ઘટના ઘટી હતી તે ત્યાં પિકનિક માટે આવ્યો હતો.

આ પણ વાંચો

આ ઘટનાનો એક હ્રદયસ્પર્શી વીડિયો પણ સામે આવ્યો છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભારે વરસાદને કારણે લોકોનું આખું ગ્રુપ પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગયું હતું. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ધોધમાં વહી ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, પુણેના હડપસર વિસ્તારના સૈયદ નગરના રહેવાસી એક જ પરિવારના 16-17 લોકો પિકનિક માટે લોનાવાલા પહોંચ્યા હતા. પરિવાર ખાનગી બસ ભાડે કરીને ધોધના કિનારે પહોંચ્યો હતો. લોનાવાલા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સુહાસ જગતાપે જણાવ્યું કે, રાત્રે લગભગ 12.30 વાગ્યે અચાનક આવેલા પૂરમાં પરિવારના લગભગ 10 લોકો વહી ગયા. જેમાં કેટલાકનો જીવ બચાવવામાં સફળતા મળી હતી, જ્યારે ત્યાં હાજર અન્ય લોકો દ્વારા એક બાળકીને કોઈક રીતે બચાવી લેવામાં આવી હતી.

તમામ મૃતકો એક જ પરિવારના છે

ન્યૂઝ એજન્સી અનુસાર, પોલીસે મૃતકોની ઓળખ શાહિસ્તા લિયાકત અંસારી (36), અમીમા આદિલ અંસારી (13) અને ઉમેરા આદિલ અંસારી (8) તરીકે કરી છે. તેમજ પાણીના જોરદાર કરંટના કારણે ગુમ થયેલા કેટલાક લોકોના મૃતદેહ જળાશયની એક બાજુથી મળી આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, અદનાન સબહત અંસારી (4) અને મારિયા અકીલ અંસારી (9) હજુ પણ ગુમ છે.

બચાવ દળ અને નૌકાદળના ડાઇવર્સે ગુમ થયેલા બાળકોને શોધવા માટે મોડી સાંજ સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, ત્યારબાદ સોમવારે ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અંસારી પરિવારના સભ્યો ભૂશી ડેમ પાસે ધોધ જોવા ગયા હતા, પરંતુ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો અને તેઓ તણાઈ ગયા.

લગ્ન પ્રસંગમાં સંબંધીઓ આવ્યા હતા

જે પરિવાર સાથે આ અકસ્માત થયો હતો તે પરિવારના એક સંબંધીએ જણાવ્યું કે લગ્ન માટે મુંબઈથી કેટલાક સંબંધીઓ આવ્યા હતા. તેણે જણાવ્યું કે રવિવારે 16 લોકોએ પિકનિક માટે લોનાવાલા જવા માટે બસ રાખી લીધી હતી. તમને જણાવી દઈએ કે ચોમાસાની સિઝન શરૂ થતાં જ હજારો પ્રવાસીઓ ભૂશી અને પવન ડેમ વિસ્તારની મુલાકાત લેવા આવે છે. આ સમય દરમિયાન, પ્રવાસીઓ અજાણ્યા વિસ્તારોમાં જાય છે અને સ્થાનિક અધિકારીઓની ચેતવણીઓને પણ અવગણે છે.
 

    follow whatsapp