ભ્રષ્ટાચારનું વધુ એક ઉદાહરણ! કરોડોના ખર્ચે બનેલો બ્રિજ ઉદ્ધાટન થાય ત્યાં સુધી પણ ન ટકી શક્યો

Yogesh Gajjar

• 03:05 AM • 20 Dec 2022

બિહાર: બિહારમાં પુલ તૂટવાની ઘટનાઓ ઘણી વખત સામે આવતી રહે છે. તાજેતરમાં જ વધુ એક આવી ઘટના સામે આવી છે. જેમાં બેગુસરાય જિલ્લાના સાહેબપુર કમાલ…

gujarattak
follow google news

બિહાર: બિહારમાં પુલ તૂટવાની ઘટનાઓ ઘણી વખત સામે આવતી રહે છે. તાજેતરમાં જ વધુ એક આવી ઘટના સામે આવી છે. જેમાં બેગુસરાય જિલ્લાના સાહેબપુર કમાલ વિસ્તારના ગંડક નદી પર બનેલો બ્રિજ તૂટી પડ્યો છે. જાણકારી મુજબ, રવિવારે સવારે અચાનક જ બ્રિજના બે ટૂકડા થઈ ગયા. 2 દિવસથી આ બ્રિજમાં તિરાડો પડી હતી. વર્ષ 2016માં આ બ્રિજને બનાવવાનું શરૂ કરાયું હતું અને ઓગસ્ટ 2017 સુધીમાં તે બનીને તૈયાર થઈ જવાનો હતો. બ્રિજ બનાવવા માટે 13.42 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો

સ્થાનિકોએ બ્રિજમાં તિરાડો પડવાની ફરિયાદ કરી હતી
જોકે બ્રિજ સુધી જવા માટેનો એપ્રોચ રોડ તૈયાર ન થયો હોવાના કારણે મોટાભાગનો વાહન વ્યવહાર બંધ હતો, પરંતુ ટ્રેક્ટર જેવા વાહનો જેમ તેમ કરીને બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. બ્રિજ રવિવારે સવારે 5 વાગ્યે તૂટી પડ્યો હતો, એવામાં દિવસ દરમિયાન જો આ દુર્ઘટના સર્જાઈ હોત તો મોટી જાનહાનિ થઈ હોત. બ્રિજમાં થોડા દિવસો પહેલા જ તિરાડો પડી હતી, પરંતુ તેમાં કોઈ કામ ન કરાયું. જોકે આ મામલે હજુ સુધી બિહારની નીતિશ સરકાર કે પ્રશાસન તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

ઉદ્ધાટન પહેલા બ્રિજ ધરાશાયી
આ મામલે વિષ્ણુપુરના સરપંત સુબોધ યાદવનું કહેવું છે કે, તેમણે કામ શરૂ થતા જ તેમાં બેદરકારી જોઈ હતી અને તેની ફરિયાદ કરી હતી. જોકે તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ. મુખ્યમંત્રી નાબાર્ડ યોજના અંતર્ગત બનેલો ભ્રષ્ટાચારનો આ બ્રિજ ઉદ્ધાટન થાય તે પહેલા જ ધરાશાયી થઈ ગયો. બ્રિજનો એક ભાગ તૂટીને ગંડક નદીમાં સમાઈ ગયો હતો. બ્રિજ તૂટી જતા 15થી 20 હજાર લોકોને તેની અસર થશે.

 

    follow whatsapp