ગણેશ જાડેજાની ક્યારે થશે ધરપકડ? Jignesh Mevani નો જયરાજસિંહ સામે હુંકાર

Gujarat Tak

03 Jun 2024 (अपडेटेड: Jun 3 2024 6:16 PM)

Gondal News: ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાનો પૂત્ર ગણેશ જાડેજા હાલ ચર્ચામાં છે. જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરીને માર મારવાની ફરિયાદ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે નોંધાઈ છે.

follow google news

Gondal News: ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાનો પૂત્ર ગણેશ જાડેજા હાલ ચર્ચામાં છે. જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરીને માર મારવાની ફરિયાદ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે નોંધાઈ છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 11 લોકોમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જયરાજસિંહના દીકરા ગણેશની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. ત્યારે હવે આ મામલે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી મેદાનમાં આવ્યા છે. કલેક્ટર કચેરી પહોંચી જીજ્ઞેશ મેવાણીએ આવેદન પત્ર આપ્યું અને જયરાજસિંહ સામે હુંકાર કર્યો. તેઓએ કહ્યું કે, ગોંડલમાં દલિત સંમેલન યોજવામાં આવશે.

શું છે સમગ્ર મામલો?

ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય  જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. ક્ષત્રિય આંદોલન સમયે પણ જયરાજસિંહ જાડેજા તેમના નિવેદનને લઈ લાઈમલાઈટમાં હતા. હવે તેમના પુત્ર ગણેશ જાડેજાને લઈ એક  ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.  મળતી માહિતી અનુસાર ગણેશ જાડેજા અને તેની ટોળકીએ એક કોંગ્રેસના નેતાનું અપહરણ કરી તેને ઢોર માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ગણેશ ગોંડલ અને તેની ટોળ સામે એટ્રોસિટી (Atrocities Act) હેઠળ  જૂનાગઢ (Junagadh) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ કોંગ્રેસ નેતા સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.

 

સંજય સોલંકીનું અપહરણ કરી માર્યો હતો માર

જૂનાગઢ NSUI પ્રમુખ સંજય સોલંકીનું ત્રણ કારમાં અપહરણ કર્યા બાદ તેમને ગોંડલના 'ગણેશગઢ' ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેમણે ત્યાં કપડા કાઢી ઢોર માર માર્યો હતો અને તેનો વીડિયો બનાવી વાઈરલ કરવાની ધમકી આપી હતી. ભોગ બનનારને ઢોર માર મારી જૂનાગઢમાં ઉતારી દેવામાં આવ્યા અને ત્યાંથી તેઓ નાસી છૂટ્યા હતા. આ મામલે ભોગ બનનાર દ્વારા ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. 

મારા છોકરાને માર્યો ઢોર મારઃ રાજુભાઈ સોલંકી

આ અંગે સંજય સોલંકીના પિતા રાજુભાઈ સોલંકીએ જણાવ્યું કે, મારો છોકરો અને મારા છોકરાનો છોકરો કાળવા ચોંકમાંથી જતા હતા, ત્યારે આ લોકો ફોરવ્હિલ લઇને નીકળ્યા હતા, ત્યારે મારા છોકરાએ ધીમે ચલાવાનું કહેતા ઝઘડો થયો હતો. આ અંગે અમે જયરાજસિંહના છોકરા સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. કોઈપણ સંજોગે સમાધાન નહીં થાય

    follow whatsapp