RAJKOT માં કોંગ્રેસી નેતા વસોયાએ કહ્યું AAP ને નહી ભાજપને જ મત્ત આપજો…

Krutarth

06 Nov 2022 (अपडेटेड: Nov 6 2022 3:55 PM)

રાજકોટ : ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે રાજકોટમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ દિગ્ગજો હાજર રહેવાનાં છે. જો કે ગુજરાત કોંગ્રેસમાં ધારાસભ્ય લલિત…

gujarattak
follow google news

રાજકોટ : ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે રાજકોટમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ દિગ્ગજો હાજર રહેવાનાં છે. જો કે ગુજરાત કોંગ્રેસમાં ધારાસભ્ય લલિત વસોયા દ્વારા એક વિચિત્ર કહી શકાય તેવું નિવેદન આપ્યું હતું. તેમણે જાહેર મંચ પરથી જ ભાજપને મત આપવા માટેની અપીલ કરી હતી.

આ પણ વાંચો

આપને આપો એના કરતા સીધો ભાજપને જ મત આપજો
લલિત વસોયાએ જણાવ્યું કે, જો તમે આમ આદમી પાર્ટીને મત આપવાનાં હો તો તેના કરતા ભાજપને જ મત આપજો. ભાજપ દ્વારા પોતાની બી ટીમ તરીકે આપને ઉતારવામાં આવી છે. ભાજપને ખબર છે કે આ વખતે જીતી શકાય તેમ નથી. તેવામાં ગુજરાત કોંગ્રેસને હરાવવા માટે પોતાની બી ટીમ લઇને ઉતરી રહી છે.

લલિત વસોયા પોતાની વાકપટુતાના કારણે ચર્ચિત
અત્રે ઉલ્લેખનીય છે કે, આ નિવેદન બાદ થોડા સમય માટે મંચ પર હાજર નેતાઓ પણ વિચારમાં પડી ગયા હતા. જો કે વસોયા પોતાની વાકપટુતાના કારણે જાણીતા છે. લાંબા સમયથી તેઓ ભાજપમાં જોડાય તેવી લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. પરંતુ તેઓ એક પીઢ રાજનેતા છે. તેઓ હંમેશાથી જ દરેક પક્ષનાં નેતાઓ સાથે સારા સંબંધો રાખે છે. પરંતુ પોતાની અને પક્ષની માનસિકતાને પણ એટલી જ મજબુતીથી વળગી રહે છે.

    follow whatsapp