PM Modi Kanyakumari: લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે દેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. યુપીના પૂર્વાંચલમાં આજે લોકો મતદાન કરી રહ્યા છે અને આ દરમિયાન ગોરખપુરમાં પહેલીવાર મતદાન કર્યા બાદ સાંસદ રવિ કિશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
મતદાન બાદ રવિ કિશને શું કહ્યું?
ગોરખપુરના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યા બાદ રવિ કિશને કહ્યું, 'વાતાવરણ ખુશનુમા છે, ત્યાં (કન્યાકુમારી) વડાપ્રધાન માત્ર સાધનામાં બેઠા અને સૂર્યદેવને શાંત કરી દીધા, આ ઐતિહાસિક હતું, આકરી ગરમીમાં આજે પવન ફૂંકાવા લાગ્યો. આ રામરાજ્યનો મોટો સંકેત છે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ત્રીજી વખત વિરાટ રૂપમાં આવવું અને મારો ભારત ખૂબ વિશાળ બનશે, વિકાસ કરશે અને સોનાની ચીડિયા બનશે, ક્યારેય ઝૂકશે નહીં, બધા તેની આગળ ઝૂકશે, આવું ભારત બનવા જઈ રહ્યું છે.' રવિ કિશને UP Tak સાથે વાત કરતા આ નિવેદન આપ્યું હતું.
ચૂંટણી પ્રચાર બાદથી PM મોદી કન્યાકુમારીમાં
જ્યારે ગોરખપુરમાં મતદાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે સાંસદ રવિ કિશને કહ્યું કે, ઐતિહાસિક મતદાન થશે, અને મહાદેવ મતદાનની ટકાવારી ખૂબ વધારશે. તમને જણાવી દઈએ કે 30 જૂને મતદાનના છેલ્લા તબક્કા માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના પ્રવાસે છે જ્યાં તેમણે કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં 45 કલાક ધ્યાન કર્યું હતું.
શનિવારે સાધનાના બીજા દિવસની શરૂઆત પીએમ સૂર્ય પૂજાથી થઈ અને ત્યારબાદ સ્વામી વિવેકાનંદની પ્રતિમા પર પુષ્પ અર્પણ કર્યું. તમને જણાવી દઈએ કે 131 વર્ષ પહેલા જ્યારે સ્વામી વિવેકાનંદ 1892માં કન્યાકુમારી આવ્યા હતા ત્યારે તેમણે પણ સમુદ્રી શિલા પર ધ્યાન કરતા પહેલા આ મંદિરમાં ભક્તિ પ્રાર્થના કરી હતી અને આજે વડાપ્રધાન મોદીએ પણ આ મંદિરમાં દર્શન કરીને ધ્યાનની શરૂઆત કરી છે.
ADVERTISEMENT