શું મનરેગા-કિસાન સન્માન નિધિ યોજના થઈ જશે બંધ? નાણામંત્રીએ કર્યો મોટો ખુલાસો

Gujarat Tak

• 11:35 AM • 24 Jul 2024

Budget 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ રજૂ કરી દીધું. હવે આ બજેટને લઈને અનેક પ્રકારના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. એક તરફ વિપક્ષ આ બજેટ પર નિશાન સાધી રહ્યો છે તો બીજી તરફ કેન્દ્ર સરકાર આ બજેટને દરેક વર્ગને શક્તિ આપનારું જણાવી રહી છે.

Budget 2024

મનરેગા-કિસાન સન્માન નિધિ યોજના પર નાણામંત્રીએ શું કહ્યું?

follow google news

Budget 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ રજૂ કરી દીધું. હવે આ બજેટને લઈને અનેક પ્રકારના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. એક તરફ વિપક્ષ આ બજેટ પર નિશાન સાધી રહ્યો છે તો બીજી તરફ કેન્દ્ર સરકાર આ બજેટને દરેક વર્ગને શક્તિ આપનારું જણાવી રહી છે. પરંતુ આ બજેટથી મોટો સવાલ એ ઊભો થયો છે કે શું કેન્દ્ર સરકાર મનરેગા, કિસાન સન્માન નિધિ (PM-Kisan Samman Nidhi) યોજનાઓને બંધ કરવા જઈ રહી છે. કારણ કે બજેટમાં નાણામંત્રીએ આ અંગે કોઈ વાત જ નથી કરી. જોકે, બજેટ બાદ નાણામંત્રીએ આ અંગે સ્પષ્ટતા કરી છે.

બજેટ બાદ નાણામંત્રીએ શું કહ્યું?

બજેટ પછી DDને આપેલા એક ઈન્ટરવ્યુમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આજે મેં ગૃહમાં લગભગ 82 મિનિટનું ભાષણ આપ્યું. એ સમજવું પડશે કે આ દોઢ કલાકમાં દરેક વિષય પર બોલવું મારા માટે શક્ય નથી. પરંતુ મારા તે વિષય પર ન બોલવાનો મતલબ એ નથી કે આ બધી યોજનાઓ બંધ થઈ જશે. તેમણે કહ્યું કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મનરેગા, પીએમ સન્માન નિધિ જેવી યોજનાઓ અને મુદ્રા જેવી યોજનાઓ ચાલુ જ રહેશે. નાણામંત્રીએ કહ્યું કે મેં આ વિષય પર વાત નથી કરી પરંતુ આ યોજનાઓ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

રાજ્યોના નામ ન લેવા પર નાણામંત્રીએ શું કહ્યું?

નાણામંત્રીએ કહ્યું કે ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે મેં ભાષણ દરમિયાન ઘણા રાજ્યોના નામ લીધા નથી. પરંતુ હું કહેવા માંગુ છું કે ભલે મેં ઘણા રાજ્યોના નામ લીધા નથી, પરંતુ તે રાજ્યોમાં પણ તમામ યોજનાઓ યથાવત રહેશે. મહારાષ્ટ્રનું ઉદાહરણ આપતા તેમણે સમજાવ્યું કે, બજેટમાં ઉલ્લેખ ન હોવા છતાં મહારાષ્ટ્રમાં એક મોટું પોર્ટ બનાવવામાં આવી રહ્યું છે.

પૂર્વોદય યોજનાનો ઉલ્લેખ કર્યો

આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ઘણા લોકોએ મને એવા સવાલો પૂછ્યા કે મેં ભાષણમાં પશ્ચિમ બંગાળનો ઉલ્લેખ જ નથી કર્યો પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે બંગાળને પણ દરેક યોજનાનો લાભ મળશે. પૂર્વોદય યોજનાનો ફાયદો પણ બંગાળને મળશે. તમને જણાવી દઈએ કે આ બજેટમાં પૂર્વોદય રાજ્યોના વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાથી બિહાર, ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળના વિકાસને વેગ મળશે.

    follow whatsapp