ભાવનગરઃ પિતાએ સાવકા પુત્રને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

Urvish Patel

ADVERTISEMENT

ભાવનગરઃ પિતાએ સાવકા પુત્રને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો
ભાવનગરઃ પિતાએ સાવકા પુત્રને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો
social share
google news

ભાવનગરઃ ભાવનગરમાં સિહોર તાલુકામાં આવેલા સણોસરા ગામે એક પિતાએ પોતાના સાવકા પુત્રને લાકડાના ફટકા મારીને પતાવી દીધો હતો. પોલીસને જાણકારી મળતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ આરંભી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, સાવકો પુત્ર કોઈ કામ ધંધો કરતો ન હોય અને ઓરમાન પિતા સાથે વારંવાર ઝઘડો કરતો હતો, જે કારણે પિતાએ ઉશ્કેરાઈને લાકડાના ધોકા ઝીંકી દીધા હતા. આ ઘટનામાં પુત્રનું મોત થયું હતું.

હિંમતનગર પાસે દેખાયો બાળ દીપડોઃ સડસડાટ ચઢી ગયો ભેખડઃ Video

પોલીસે પિતાની કરી ધરપકડ
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામે સાવકો પુત્ર કોઈ કામ ધંધો કરતો ન હોય અને ઓરમાન પિતા સાથે વારંવાર ઝઘડો કરતો હોય આ ઝઘડાથી કંટાળી ઓરમાન બાપે સાવકા પુત્રને લાકડાના ધોકા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ બનાવના પગલે સોનગઢ પોલીસે પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોરના સણોસરા ગામે રહેતા અજયભાઈ મનસુખભાઈ કામળીયા એ તેના પિતા વિરુદ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે, તેની સગી માતાના પ્રથમ પતિનું અવસાન થતાં તેણીએ મનસુખભાઈ ખોડાભાઈ કામળીયા સાથે દિયરવટુ વાળ્યું હતું. આ મહિલા આંગળીયાત તરીકે કિશનભાઈ બાબુભાઈ કામળીયાને સાથે લાવ્યા હતા. દરમ્યાન અજયભાઈની માતા મુંબઈ ગયા હોય અને કિશનભાઈ ઓરમાન બાપ સાથે રહેતો હોય પરંતુ કોઈ કામ-ધંધો કરતો ન હતો. આથી પિતા-પુત્ર વચ્ચે ઝઘડા થતાં રહેતા હતા. દરમિયાન ગત તા.24,4 ના રોજ ઓરમાન બાપ મનસુખભાઈ તથા સાવકા પુત્ર કિશનભાઈ વચ્ચે ઝઘડો થતાં મનસુખભાઈએ ઉશ્કેરાઈ કિશનભાઈના માથામાં ધોકાના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતાં ગંભીર હાલતે સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન તેનું મોત થતાં અજયભાઈ પિતા મનસુખભાઈ વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે મનસુખભાઈની ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT